Monday, 20 January 2020

શિવોહમ્

વાલાજીનો કાઢીશ માં તુ વાંક...... '' બંસરી મિઠાસ ભરી''

વાલાજીનો કાઢીશ માં તુ વાંક;
કાઢીશ માં તુ વાંક,તારી કરણી આડો આંક ..... વાલાજીનો.

ધન મળ્યું તને જોબન મળ્યું પછી મૂછ ને દેતો વળાંક;
નબળા જનના લીધા નિસાસા, રાજા મટી થયો રાંક ..... વાલાજીનો.

પંડ પરસેવો કંયાઈ ન પાડયો, પારકો લણીયો પાક;
લખપતિ થાવાને તેં તો લાખોને મારી લપડાક ..... વાલાજીનો.

ઝુંપડીઓને જગવી દીધી,બંગલે ગોઠવ્યા બાંક;
મણે તોળાતો માનવીમાં,હવે નર થયો નવટાંક ..... વાલાજીનો.

રામ રતન તારે ખેતર પડયુ,તેં તો વાવ્યુ કાંકનુ કાંક;
લાણી લઈ ને ખળે ઊપજશે,રતન બદલે રાખ ..... વાલાજીનો.


           '' બંસરી મિઠાસ ભરી''

      { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંપાદન :- રાજુભાઈ ભટ્ટ












Thursday, 16 January 2020

ધાર્યુ કોઈ નુ ના થાય..... '' બંસરી મિઠાસ ભરી''

ધાર્યુ કોઈ નુ ના થાય , ભલે કરો લાખ કરોડ ઉપાય......મનવા

વશિષ્ઠ જેવા ગુરુ ના હાથે , ગાદી ના જોશ જોવાય
એજ ચોધડીયે રામ સીતા ને લક્ષ્મણ વન મા જાય......મનવા

રાવણે ધાર્યુ કરુ નીસરણી , જીવતા સરગે જવાય  , 
અમ્રૂત કુંપો કાળજે રાખ્યો તોય રામ ને હાથે રોળાય......મનવા

લાક્ષાગ્રૂહ મા આગ લગાડુ તો , પાંડવ શ્સૌ પતી જાય
દુર્યોધન ના મનસુબા એ રહી ગયા મનમાંય........મનવા

મનવાધટ મા માનવ ધાટ ધડે ત્યારે
ધડનારો મલકાય
આશા ના દરીયે દોટ મુકે પણ ધાર્યુ ધણી નુ થાય......મનવા


          '' બંસરી મિઠાસ ભરી''

    { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંપાદન :- રાજુભાઈ ભટ્ટ

હે સરસ્વતિ! ''ફુલો વેરાણા ચોક માં''

           હે સરસ્વતિ!
શુદ્ધ મતિ દે, પરમ ગતિ દે!
વિણાધારિણી બહ્મચારિણી,

તવ પદકંજે મમ મન રંજે,
    તુહરજે વિપતિ.... હે સરસ્વતિ!

વ્યોમ ભોમ મધુરા સ્વર ગુંજત,
         સમષ્ટિ રંજત,
શાંત ચિત તવ શીતળ લોચન,
         દુ:ખ મદમોચન.
સ્મરુ પ્રથમ તવ નામ.
     કોટી કોટી પ્રણામ.... હે સરસ્વતિ!


    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંકલન :- રાજુભાઈ ભટ્ટ









ગાંધીજી ના દુહાઓ.... ''ફુલો વેરાણા ચોક માં''

                (1)
ભારત માં જો ગાંધી તેજન્મ લીધો ના હોત,
આંધી તોડી માતની કોણ જગાવત જ્યોત??
               (2) 
મોહન તારી મોરલી જાદુભરી સુણેલ,
મહેલનિવાસી માનવી જઈને બેઠાજેલ.
              (3) 
ગાંધી એવો વીર થયો, ભારતમાતા કૂખ
શહીદ પોતે થઈ ગયો, દઈ ગયો સહુ ને સુખ.
              (4) 
તોપો ને ટાઢી કરી, છાંટી પ્રીતી નીર
સત્યાગ્રહના શુરવીરે તાકી માર્યા તીર
             (5) 
જેલ મનાવી મહેલ તે ભોગ મહીં ઊપવાસ,
દીપક થઈ જલતો રહ્યો, સહુ ને દીધો પ્રકાશ.
                 (6) 
સૈનિક સત્યાગ્રહ તણો, રેંટ સુદર્શન હાથ,
રામ નામ ની ઢાલથી, સમર જીત્યો સમરથ.
                  (7) 
રજ થઈને મેરુ થયો, તપ કરી થયો મુનીશ.
હરીજનની ગંગા થયો, સેવક બની સુરેશ.
             (8) 
દીધા બનાવી ગાંધીએ, કાંટા ને પણ ફુલ,
પત્થરને હીરા કર્યા, કનક બનાવી ધુળ.
           (9) 
પરાધીનતા પીંજરે,  પૂર્યાતાં નરનાર,
આત્મભોગથી ગાંધીતે, કરી દીધો ઊદ્ધાર.
            (10) 
અંતિમ શબ્દો મુખમાં : રામ,રામ, હેરામ! 
યુગ પુરુષના ચરણમાં, કોટીકોટી પ્રણામ,
            
             રામ રાજ્ય
પ્રીતિ,ભક્તિ,સત્યતા, દયાધર્મ ને દાન,
માનવતાનો કાયદો, સહુ ને સુખ સમાન.


    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ












નયનદ્વાર જ્યાં બંધ થયાં ત્યાં આંતર જ્યોત જાગી...''ફુલો વેરાણા ચોક માં''

નયનદ્વાર જ્યાં બંધ થયાં ત્યાં
           આંતર જ્યોત જાગી,

એ જ્યોતિ ના અજબ પ્રકાશે, 
          દુનિયા કડવી લાગી...નયન..

કોઈ ઘવાયા, કોઈ દુભાયાં,

હર્ષ શોક ના રંગ  છવાયા;

એવી જગની માયા મેં તો, 
       નયને જોઈ ત્યાગી...નયન..

મનમાં મનની મૂર્તિ બનાવુ, 

મનમાં  મારુ  સ્વર્ગ રચાવુ ;

આ દુનિયા થી મનની દૂનિયા, 
          મનને મીઠી લાગી...નયન..



    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ

હરી હવે લ્યો સુદર્શન હાથ

હરી હવે લ્યો સુદર્શન હાથ

એક દુશાસન સંહાર્યો , પણ અનેક જનમ્યા આજ
અનેક  દ્રોપદી ની લુટાતી , ધોળે  દિવસે લાજ

સત્ય, ધર્મ, નીતી, ન્યાય માનવતા પાંચેય ને વનવાસ
માંધાતા  થઈ  ફરતા  આજે  દુર્યોધન ના દાસ

 ભ્રષ્ટાચાર   બધે   ફેલાયો , તેનો  છે આધાત
પોષક થઈને શોષક બનતા, કોણ સાભંળે વાત

લોકશાહી નુ રામ રાજ્ય તે નજરે નહી જોવાત
ગાંધીજી જો હોત જીવતા તો સ્વયમ કરત આપઘાત

  ગોવિંદે   ગીતા મા  કીધુ થશે   ધર્મ  નો ઘાત
જગત ઉપર હુ જન્મ ધરી ને અટકાવીશ વીનીપાત
          એ વચન પાળજો નાથ
         હરી હવે લ્યો સુદર્શન હાથ



{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

સંપાદક :- રાજુભાઇ ભટ્ટ







પછેડી પટેલ ની

              પછેડી  પટેલ ની  ઢરડાતી
       એમા સુંડલોક ધૂળભરાતી

મોટા પાના ની બાંધી પછેડી , ટુકી નથી બંધાતી
પાઘડી મોટી મોટા કેવાણા, મોટપ નથી રે મુકાતી.......પછેડી

થેપાડે બાયડી થીંગડા મારે, તાવડી પોરો ખાતી 
પછેડી ફાટે તો થીગડા દેવાય નહી, ખળવાળી ખરીદાતી........પછેડી

વાડીયો ખેતર ખેડયા વિના ના ચોરા મા ચોવટો થાતી 
ગામ ની વાત મા ગાંઠ નુ ખોતા, લાણીયે ઉકલી જાતી...........પછેડી

છોકરા રોતા છાસુ વગર ના , રસોઈ ચોરે રંધાતી
આવી અમલદાર જમવા બેસે , વાહ વાહ પછી રે બોલાતી..........પછેડી

ગામ નો વેપારી ઉઘરાણી કરતો , વાયદે વાતો થાતી
ડોશી ના દાડા મા જમાડતા  વાડી પણ વેચાતી...........પછેડી

મન થી મોટપ માની લીધી મોટપ નથી એ કેવાતી
ઝીણુ કાંતી ને બંધાવી પછેડી , રાખવી નહી ઢરડાતી............પછેડી

(  ગજા વગર ના માણસ દેખાદેખીથી મોટાઈ મેળવવા દોડે છે ત્યારે એ મોંટાઈ કેવી ભારે પડી જાય છે તે હાર્દ આ કટાક્ષ કાવ્ય સમજાવે છે.. કોઈ જ્ઞાતી કે પરીવાર માટે નથી )


ભકત કવી શ્રી ત્રાપજકર દાદા




ઢરડાતી
       એમા સુંડલોક ધૂળભરાતી

મોટા પાના ની બાંધી પછેડી , ટુકી નથી બંધાતી
પાઘડી મોટી મોટા કેવાણા, મોટપ નથી રે મુકાતી.......પછેડી

થેપાડે બાયડી થીંગડા મારે, તાવડી પોરો ખાતી 
પછેડી ફાટે તો થીગડા દેવાય નહી, ખળવાળી ખરીદાતી........પછેડી

વાડીયો ખેતર ખેડયા વિના ના ચોરા મા ચોવટો થાતી 
ગામ ની વાત મા ગાંઠ નુ ખોતા, લાણીયે ઉકલી જાતી...........પછેડી

છોકરા રોતા છાસુ વગર ના , રસોઈ ચોરે રંધાતી
આવી અમલદાર જમવા બેસે , વાહ વાહ પછી રે બોલાતી..........પછેડી

ગામ નો વેપારી ઉઘરાણી કરતો , વાયદે વાતો થાતી
ડોશી ના દાડા મા જમાડતા  વાડી પણ વેચાતી...........પછેડી

મન થી મોટપ માની લીધી મોટપ નથી એ કેવાતી
ઝીણુ કાંતી ને બંધાવી પછેડી , રાખવી નહી ઢરડાતી............પછેડી

(  ગજા વગર ના માણસ દેખાદેખીથી મોટાઈ મેળવવા દોડે છે ત્યારે એ મોંટાઈ કેવી ભારે પડી જાય છે તે હાર્દ આ કટાક્ષ કાવ્ય સમજાવે છે.. કોઈ જ્ઞાતી કે પરીવાર માટે નથી )


ભકત કવી શ્રી ત્રાપજકર દાદા




રાજકારણમાં કદી ન પડવુ...... ''ફુલો વેરાણા ચોક માં''

      રાજકારણમાં કદી ન પડવુ,
      દોડી  ને  દરીયામાં   પડવું;
      કુવા  માં   ઠેકી  ને   પડવું,
હોય સરોવર ઊંડું તેમાં આંખ મીંચી ને કુદી પડવુ,
રાજકારણમાં કદી ન પડવુ.

      સતા ના પર્વત  પર  ચડવું,
      ચડનારએ  પાંચ  વરસમાં
      ચડ્યા  પછી  નીચે   પડવુ,
      રાજકારણમાં કદી ન પડવુ.

      ખટપટ કાવાદાવા કરશો,
      મિત્રો  રાહુ  થઈને  નડશે;
     લોક તમાંરા વખાણ કરશે,
સતા પરથી ગયા ઊતરી, પછી ન કોઈ સામા મળશે,
       ભલે  તમોને  લાગે  કડવુ,
       રાજકારણમાં કદી ન પડવુ.


     ''ફુલો વેરાણા ચોક માં''

{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરજી }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ





''फुलो वेराणा चोकमां''

मानवी नो जुओ तो बस आटलो ईतिहास छे,
जन्म छे ने जीवन छे, विकास छे ने  नाश छे.

सामान्य आवी वात ने सौ मानवि समजे छता,
जाम पीघा करे छे तो ये  अधुरी प्यास छे.

कल्पनाना महेल चणतो मानवी रेती उपर,
ऐ महेल मा माणीश ऐवो मुर्खने विश्वास छे.

जींदगी नी सडक लांबी मरणनी मंझील सुधी, 
आखरे तो मानव ने आटलो ज प्रवास छे.

हाथ खुल्ला करीने अही थी जवु छे ऐकला,
नाम तेनां रही जशे जेनी अमर सुवास छे.


     
  ''फुलो वेराणा चोकमां''


{ भक्त कवि श्री त्रापजकर दादा }


संपादक :-राजुभाई भट्ट


''फुलो वेराणा चोकमां''

जीवन नो अभिगम हुं खोळी रह्यो छु ,  उषामां हुं आशा झबोळी  रह्यो   छु.

मजा रागमां छे अगर त्यागमां छे,
ऐ प्रक्ष्नो ना उतर उकेली रह्यो छु.

गगनमां ऊडुं के क्षितिजो ओळंगुं?
नकामा विचारो वागोळी रह्यो छु.

हुं स्वप्नो नी वहेती सरीता मां डुबु,
कीचड मां ज काया ने रोळी रह्यो छु,

आ अमूतना सागर कीनारे ऊभो छु,
भुली  भान  हुं  विष  घोळी  रह्यो छु.

कीकी  ने  घणांये  कणाओ  खुंचे  छे,
नीकळतां नथी आख चोळी रह्यो छु.

जीवन जीववानो खरो मार्ग आ छे,
ह्रदय रामरस मां हुं बोऴी रह्यो छु.


     
  ''फुलो वेराणा चोकमां''


{ भक्त कवि श्री त्रापजकर दादा }


संपादक :-राजुभाई भट्ट









''बंसरी मिठाश भरी''

पारेवडा! तरश्या रहेशो जो,कुवा ने काठडे बेसी रहेशो.
तन तमारा तापे तप्यां छे संकट केटलांक सहेशो?
आ रे कुवानां ऊंडा जळने, उपर आववा न कहेशो .... पारेवडा!

गळा फुलावा ''घुघु'' करीने, आरदा करवा न जाशो;
ऊंडां ऊतरशो ऊडी ऊडीने तो, वासुकीनो छे वासो .... पारेवडा!

काळमिंढ पाणे बांध्यो आ कुवो, गुण हजारो गाशो;
पाणीनु टीपु पाशे नही, तमे हाथेथी हळवां थाशो .... पारेवडा!

नदी सरोवर मीठां पाणीनां, हैयानी ज्यां सुवासो;
ऊडो आशामां बेसी न रहेशो, पाछळथी पस्ताशो .... पारेवडा!


        ''बंसरी मिठाश भरी''

  { भक्त कवि श्री त्रापजकरदादा }

 संपादक:- राजुभाई भट्ट




''बंसरी मिठाश भरी''

ऊंडां महासागरनां पाणी रे,              
           माछली तरसी तोय देखाणी.
पाणीए घडाणी ने पाणीए पोषाणी,      
                     पाणीमां रमतु रमाणी;
पाणीमां घर अने घोलकी मांड्यां, 
        पाणीना रंगे रंगाणी रे. माछली..

लोढे लेवाणी ने कांठे कुटाणी,
                        वमळे पाछी तणाणी;
पाणी ना भम्मरथी मांड मांड ऊगरी, 
    तोय करती 'पाणी पाणी' . माछली.

मच्छीमार नो मच्छवो आव्यो,
                     माछली कैंक मराणी;
आवी ने काळी जाळने पाथरी,  
 जाळ मां झट झडपाणी रे . माछली..

जाळमांथी पछी मछवे नाखी, 
                       टीपुय न मळ्युं पाणी;
पाणीनी झंखनामां जीवडो खोयो, 
    जीवन थयु धुड धाणी रे. माछली..



        ''बंसरी मिठाश भरी''

  { भक्त कवि श्री त्रापजकरदादा }

     संपादक:- राजुभाई भट्ट













Wednesday, 15 January 2020

ગુરુ પુંજા...... ''ફુલો વેરાણા ચોક માં''

ગુરુ પુંજા

જન્મ જન્મ ના જોગીડા ના ચરણે  ગંગાધારા ,
           છે વંદન લાખ અમારા 
         સંતરામ   મંદિર    બિરાજે ,
         જન્મ ધર્યો છે જનહિત કાજે ,
સંતકૃપા થી ઘણા તર્યા છે ભવસાગર ડૂબનારા,
           છે વંદન લાખ અમારા 
        ચરણ સ્પર્શ દર્શન સુખદાતા 
         અનાથના છો આક્ષય દાતા 
મુખ દર્શન થી આથમી જતા અંતર અંધારા ,
            છે વંદન લાખ અમારા .
           નમું નારાયણ દાસ જી ચરણે ,
            સંત ! દયા કરી રાખો શરણે ,
ત્રાપજકર ના તાપ પરિતાપ સદા હરનારા 
           છે વંદન લાખ અમારા. 


    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
      મો :- 9824474306



મારા મોંઘા મહેમાન...... ''આતમવાણી''

મારા મોંઘા મહેમાન
      એક વાર આંગણીયે આવજો.
સ્નેહભર્યા પુષ્પો થી કરશુ સંન્માન
     એક વાર આંગણીયે આવજો.મારા

મઢુલી છે મનની ત્યાં પિરશ્યો રસ થાળ છે,
ભાવના ને શબ્દો થી ગુંથી ફુલમાળ છે,
આવશો તો આર્પીશુ દીલડા ના દાન    
     એક વાર આંગણીયે આવજો.મારા

અધુરા છે સ્વાગત,ઊણપને વિચારજો,
મધુરા છે મીલન તો બે ધડીક આવજો,
'સોડહમ' સિતારે ગાશુ જીવન ના ગાન 
એક વાર આંગણીયે આવજો.મારા



            ''આતમવાણી''

   { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

    સંકલન :- રાજુભાઇ ભટ્ટ 
         મો:- 9824474306

તું હી જગતકારણ દુ:ખનીવારણ તરણ તારણ સંત છો, "આતમવાણી"

તું હી જગતકારણ દુ:ખનીવારણ તરણ તારણ સંત છો,
ઐશ્વર્યવંત અનંત ને ભગવંત બુદ્ધીમંત છો.
તુંહી કષ્ટ ને હરનાર સુખકરનાર શાંન્તી પ્રસારજે,
અમ જીવનમાં ઉત્કર્ષના ઉદેશ તું વીકસાવજે (૧) 

ગુણગાન શક્તિમાંન તારુ સધ શુભ કરનાર છે,
ભવભીડ ભાંગી ભક્તની ભવનીર તારણ હાર છે;
ધ્વજ શૌર્યધૈર્ય સુધર્મ નો અમ આગણે ફરકાવજે,
અમ હ્રદયમા કર્મવિરતા રગરગે રેલાવજે.(૨) 

તુજ ચરણ અશરણ શરણ તું અભરાભરણ વિખ્યાત છે,
તું ધરણ ધરણી હરણ કષ્ટો સુખકરણ સાક્ષાત છે,
તુંહી તાપતારણ દુ:ખનીવારણ વિપદ ધન વીદારજે,
અમ ભવ્ય ભુમિ ભારતી નો વિજય ધ્વજ ફરકાવજે.(૩)

તુંહી સર્વવ્યાપક કષ્ટકાપક સ્થિર સ્થાપક ઈશ છે, 
મુનિન્દ્ર ઈન્દ્ર ઊપેન્દ્ર બ્રહ્માદિકમાંહી અધીશ છે,
તુંહી શોકટાળક જગતપાલક મુદ મને છલકાવજે,
અમ રગેરગમાં પરમ ચેતન ની પ્રભા પ્રગટાવજે,(૪)

તુંહી શ્રેષ્ટ સંત અનંત ને અત્યંત તુ ગુણવંત છે,
સાકાર નિરાકાર જગદધાર તું બળવંત છે,
તુંહી દીનદયાળ ક્રુપાળ તાંરા બાળ સુખ માં સ્થાપજે,
અમ હ્રદય 'વંદે માતરમ 'ની ઊર્મીઓ ઉછળાવજે,(૫)
તુંહી સુખશાતા અભયદાતા છો વિધાતા જગત નો,
તુંહી તાત માતા વિશ્વત્રાતા શુર ભ્રાતા ભકતનો,
પરમેશ પરમાનંદની અભ્યર્થના ઉર ધારજે,
મુજ નાવ ડગમગ ડોલતુ નાવીક થઈ ને તારજે.(૬)


            ''આતમવાણી''

   { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

    સંકલન :- રાજુભાઇ ભટ્ટ
        મો :- 9824474306

રત્નજ્યોત દીવડો .... ''આતમવાણી''

ધ્નય સોરઠની ધરણીછે રતનોનીજાયા,
   એ માએ પ્રગટીયો અંનત દીવડો, 
          રત્નજ્યોત દીવડો (2)
માત ભારતના મન્દિરિયે જનતા ના આતમની 
    આરતી ઊકારે અખંડ દીવડો,
           રત્નજ્યોત દીવડો (2)

જુગ જુગનો જોગંધર દેહે થી દુબળો
 એણે સપ્તરંગ પુરી પ્રગટાવ્યો છે દીવડો,
કોટીચાળીશ જનતાના હૈયાનીએ ચેતનાને,
     જગવી બેઠો અનંત દીવડો,
          રત્નજ્યોત દીવડો (2)

ઘોર વાદળ ઘેરાશે કે તાંડવ ખેલાશે,
કાળ વાયુ ની ફુકે ના દીવડો બુજાશે,
અમીરી કે ગરીબીના અંતરને ભેદીને,
       ઝુપડીએ બળે અખંડ દીવડો,
            રત્નજ્યોત દીવડો (2)

સત્યને અહીંસાને,શાન્તીને સિદ્ધીનાં,
માનવતા ધર્મ આત્મભાવનાની વ્રુદ્ધીના,
અંજવાળા પાથરીને ભારત મૈયાને,
   અંજવાળી રહ્યો અખંડ દીવડો,
            રત્નજ્યોત દીવડો (2)
       
ધ્નય સોરઠની ધરણીછે રતનોનીજાયા,
   એ માએ પ્રગટીયો અંનત દીવડો, 
          રત્નજ્યોત દીવડો (2)



            ''આતમવાણી''

   { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

    સંકલન :- રાજુભાઇ ભટ્ટ 
         મો :- 9824474306

રામ વંદના ''આતમવાણી''

જય જય જગજ્યોતી રામ!
રધુકુળતિલકલલામ!...જય 

સુખ  કરણ    વિધ્ન  હરણ,
ભક્તશરણ   તુજ    ચરણ,
વ્યાપક છે ઠામઠામસુખદશ્યામ!
                        મન વિરામ....જય

મંગલકાર                કીરતાર,
કરુણા   કરનાર   કરજો   વાર,
આનંદધન અમરધામ,અભીરામ!
                     પદ પ્રણામ....જય

        
            ''આતમવાણી''

   { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

    સંકલન :- રાજુભાઇ ભટ્ટ 
        મો :- 9824474306

રામ વંદના ''આતમવાણી''

જય જય જગજ્યોતી રામ!
રધુકુળતિલકલલામ!...જય 

સુખ  કરણ    વિધ્ન  હરણ,
ભક્તશરણ   તુજ    ચરણ,
વ્યાપક છે ઠામઠામસુખદશ્યામ!
                        મન વિરામ....જય

મંગલકાર                કીરતાર,
કરુણા   કરનાર   કરજો   વાર,
આનંદધન અમરધામ,અભીરામ!
                     પદ પ્રણામ....જય

        
            ''આતમવાણી''

   { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

    સંકલન :- રાજુભાઇ ભટ્ટ 
        મો :- 9824474306

સ્વ.સન્મિત્ર કવિ શ્રી કાગને સ્મરણાંજલિ '' ફુલો વેરાણા ચોક માં''

કાગ! તારી વાણી પર જાઉં વારી,
તારી વાણી પર જાઉં વારી,તારી નાખણી સૌથી ન્યારી;
કાગ! તારી વાણી પર જાઉં વારી,

કંઠ, કવિતા, ભેળી કહેણી કરામત કરનારી,
રામના હાથથી બાણ છુટે, તારા બોલોની બલિહારી ;
કાગ! તારી વાણી પર જાઉં વારી,

ફુલડે રમિયો વ્રેમંડ ફરિયો, સાગર ડુબકી મારી,
છીપલાં તારવ્યાં ને મોતી મુલવ્યા ઓળખનો અલગારી;
કાગ! તારી વાણી પર જાઉં વારી,

રામ રિઝાવ્યા ત્રુઠી વરુડી, મનવ્યા મુરલીધર,
તારી જીભે ગીતા વહાવી પ્રગટ પાવનકાર;
કાગ! તારી વાણી પર જાઉં વારી,

રાગ બડો કે ત્યાગ બડો? એવી વાતોને વિસ્તારી,
કાગવાણીને દીવડે રહેશે, જ્યોત્યુ ઝણહળનારી;
કાગ! તારી વાણી પર જાઉં વારી,

         '' ફુલો વેરાણા ચોક માં''


   { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંકલન :- રાજુભાઇ ભટ્ટ 
           મો :- 9824474306

શિવ સ્તુતિ..... ''ફુલો વેરાણા ચોક માં''

          શિવ -સ્તુતિ 
વંદુ  પદ  શંકર  ઉમિયા વર કૃપીયાકાર હર હર વિપદ હરા ,
કર ડાક ડમરુંધર ફણીધર શિરપર ગંગાધર જય વરદ  કરા ,
વ્યાધ્રા ન્બર તનધર અલખ નિરંજન ભય ભંજન સભર ભરા ,
જય મંગલ કર જય જય ત્રિલોચન જય નટરાજન સુખદકરા , 
 જય નટરાજન સુખદકરા।........


    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
    મો :- 9824474306


ઈશ્વર તને છે અર્પણ       '' ફૂલો વેરાણાં ચોક માં ''  

ઈશ્વર તને છે અર્પણ સુખદુઃખ  સર્વ મારાં ,
સંકલ્પ  વિકલ્પોના છે  આથમ્યા  અંધારા .
 પ્રેરક  બની  કરાવે  જે  જે  મને  તું  કર્મો ,
તે સર્વ તને  અર્પણ  સારા  અગર  નઠારા .
સંસાર માં રહું છું  હું  તો  અલિપ્ત થઇ  ને ,
જળસ્પર્શ થી જે રીતે  કમળો રહે છે  ન્યારા .
ઉલ્લાસ,  શોક,  પ્રીતિ   તે  મોહબંધનો  છે;
મેં તો તજ્યા  છે  તેને  માની  ને  સપભારા .
તારી પરમ પ્રીતિ ને  જયારે  સ્મરી  રહું  છું ;
આંખે   વહી   રહે   છે  અશ્રુ  ની   ગંગધારા 
        

                         
       '' ફૂલો વેરાણાં ચોક માં ''
   

   { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

    સંકલન :- રાજુભાઇ ભટ્ટ
        મો :- 9824474306




સીતાજી ની શોધમા રામ ''ફુલો વેરાણા ચોક માં''

રધુવીર  શોધે જનકદુહીતા!
પ્રીય મૃગ દેખી જનકદુહીતા!
તરુવર દેખી જનકદુહીતા!
સરવર! ક્યા ગય સુકોમળ સીતા?....
 રધુવીર

વલકલ વસને, જળ ભરી નયને,
''રામ'' રટે  એ  વ્યાકુળ  વદને,
સરીતા! જોઈ મારી જીવન સરીતા!....
 રધુવીર

વનલતીકા!  તુ સમ  સુકુમારી!
ચાતક!  તુ  સમ  ચિંતન ધારી!  
વન ક્યા ચુપાવી પરમ પુનીતા?....
 રધુવીર

     
      ''ફુલો વેરાણા ચોક માં''

    {ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

    સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
        મો :- 9824474306


શિવ સ્તુતિ..... ''ફુલો વેરાણા ચોક માં''

          શિવ -સ્તુતિ 
વંદુ  પદ  શંકર  ઉમિયા વર કૃપીયાકાર હર હર વિપદ હરા ,
કર ડાક ડમરુંધર ફણીધર શિરપર ગંગાધર જય વરદ  કરા ,
વ્યાધ્રા ન્બર તનધર અલખ નિરંજન ભય ભંજન સભર ભરા ,
જય મંગલ કર જય જય ત્રિલોચન જય નટરાજન સુખદકરા , 
 જય નટરાજન સુખદકરા।........


    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
    મો :- 9824474306


સંત વંદના ''ફુલો વેરાણા ચોક માં''

       સંત વંદના  

સંત થવું સહેલું નથી ,કોઈક જ સાચાસંત।,
સંતરામ   મંદિરે ,   મેં    દીઠા    ભગવંત ,
દર્શન થી વિસરાય છે દુઃખ કલેશ ને  શોક ,
નારાયણ ચરણે નમે ,નીશદીન લાખો લોક .
દ્રષ્ટિ  માં  ગંગા વહે , ચરણે  તીરથ  વાસ ,
ભવતારક છે ભક્ત ના નમું  નારાયણદાસ ,
સંતરામના   મંદિરે ,પ્રગટયો પરમ પ્રકાશ ,
માનવતા ની  મૂર્તિ  છે નમું  નારાયણદાસ ,
ભીડ ભાંગવા ભક્ત ની ,લીધો છે અવતાર ,
તરાપો ત્રાપજકર તણો ઉતારજો ભવ પાર


    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
    મો :- 9824474306

''કવિની વેદના'' ''ફુલો વેરાણા ચોક માં''

કવિની કવિતા સણી, સૌ ''વાહ'' પોકારે;
તે  સમય  હૈયુ  કવિનુ  આહ  પોકારે.

કવિની કવિતા સાંભળવા રસજ્ઞો આવી પહોચ્યા છે. કવિએ કવિતા વાચન ની શરુઆત કરી કવિતાની પંક્તિએ પંક્તિએ તાળીઓના ગગડાટ અન '' વાહ વાહ'' શરુ થઈ ગયા.
પ્રેક્ષકો વાહ વાહ બોલે ત્યારે કવિ હાથ લાંબો કરીને ''વાહ''ને ખીસામાં નાખવા લાગ્યા. શ્રોતાઓને આશ્વર્ય થયું કે કવિ લાંબો હાથ કરીને ખીસામાં શું ભરે છે?
કવિ એ કહ્યુ કે '' બસ મારુ ખીસું ભરાઈ ગયું'' એમ કહી પાસે જ ગાંધીની કરિયાણાની દુકાને પહોંચી ગયા ગાંધીને કહ્યુ કે '' શેઠ લીસ્ટ કરો''
ગાંધીએ કહ્યુ કે બોલો.
''લખો ચાલીસ કિલો ઘઊં, વીસ કિલો બાજરી, પાંચ કિલો ખાંડ,એક કિલો ચા,  બે કિલો ચોખ્ખુ ધી,તેલ નો ડબ્બોએક મારા ધરે પહોંચાડી દો, છોકરા એક ટંકથી ભુખ્યા છે.''
''કવિરાજ! લખાવેલ વસ્તુ નો આંકડો રુ:- 620.50 પૈસા થાય છે. પૈસા આપો એટલે વસ્તુઓ તમારે ધેર પહોંચાડી દઉં''
કવિ તો ખીસામાં હાથ નાખી ગાંધી તરફ હાથની મુઠી ઉધાડવા લાગ્યા. કવિએ કહ્યુ કે '' લઈ લ્યો''
આ શું કરો છો? ગાંધીએ પુછ્યું.
કવિએ કહ્યુ કે '' આજે મને'' વાહ વાહ'' મળી છે તે બધી તમને આપી દઉં છું ''
ગાંધીએ કહ્યુ કે, '' પૈસા હોય તો વસ્તુ મળે. તમારી '' વાહ વાહ'' ને શું કરું?
કવિ પાછા સભામંડપમાં આવી ગયા અને ખીસામાં હાથ નાખીને બોલ્યા ''ભાઈઓ અને બહેનો, આ તમારી
 '' વાહ વાહ'' તમને પાછી''
એક મર્મજ્ઞ છતાં દાતાએઊભા થઈ કવિને કહ્યુ કે, '' વાહ વાહ'' ને મે વેચાતી લઈ લીધી.એક તરફ પાંચ હજાર રુપિયા વાળો લંબાએલો દાતાનો હાથ હતો અને બીજી તરફ કવિ ની આંખમાં હર્ષના આંસુ હતા.

          ''કવિની વેદના''


    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
    મો :- 9824474306





મુજ જીવન સાથીદાર...... બંસરી મીઠાશ ભરી

મુજ જીવન સાથીદાર !  તુ વિણ જીદંગી જાતી નથી , 

તુ નયન થી દેખાય ના , દિલ થી જુદી થાતી નથી........મુજ જીવન

 હુ શુ લખુ ?   હુ શુ કહુ ?  આંસુ પડે આલેખતા , 

દુ:ખ ની કહાણી શબ્દ થી મુજ થી કહી જાતી નથી .......મુજ જીવન

તારે અને મારે હવે તો ખુબ જ અંતર પડયુ ,  

મારા   હ્રદય ની   વેદના   ખોલી  બતાવાતી નથી..........મુજ જીવન

જો તુ સરીતા થઈ વહે , હુ મીઠડો સાગર બનુ

પણ ક્યા કિનારે તુ મળે એ વાત મને સમજાતી નથી.......મુજ જીવન

કહે તો બની ને ભસ્મ , તારી ભસ્મ સાથે હુ ભળુ ,  

હુ તને ક્યા આવી ને મળુ ?  આટી ઉકેલાતી નથી  .......મુજ જીવન

તુજને સદા સંભારતા આંસુ વહે પ્રેમના , 

રડતી કલમ થી શુ લખુ ?  આગળ ચલાવાતી નથી.......મુજ જીવન


    બંસરી મીઠાશ ભરી

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
   મો :- 9824474306

રટી જોને જીભે એક જ ''રામ'' '' બંસરી મીઠાશ ભરી ''

રટી   જોને   જીભે   એક જ ''રામ''
જીભે એક જ ''રામ''કરશે તારા સધળા કામ.... રટી   જોને  

પાજ બાંધી ત્યારે પવનસુતે પથ્થરે લખયુ નામ,
દુનીયા એ તેદી આંખ થી દીઠાં તરીયા જળમાં તમામ.... રટી   જોને  

પગ અડયો ત્યા પાવન થઈ ગઈ, અહલ્યા ના આરામ
બાઈના એઠા બોર ચાખ્યા, એને આપ્યા વૈકુંઠ ધામ.... રટી   જોને  

રામનુ જીભ થી નામ લેવા મા દોકડો ન બેસે દામ,
ભવસાગરથી પાર જવા તારે હૈયે રહેશે હામ.... રટી   જોને  

મન મતીના મોઠા ઉપર રાખજે રોજ લગામ,
રામના જાપ થી જાગશે તારો અંતર આતમરામ.... રટી   જોને  

શીશ જટાઅને ધનુષ કરમાં, મુખડુ છે ધનશ્યામ,
આંખ મીંચીને જોયલે તારા રુદીયે બેઠો રામ.... રટી   જોને  


   '' બંસરી મીઠાશ ભરી ''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
    મો :-9824474306

વંદન અમારા છે. '' બંસરી મીઠાશ ભરી ''

હ્રદય પર ધા કરે તેને પ્રથમ વંદન અમારા છે.
નીરાશા આપનાર ને અભિનંદન અમારા છે.

કટુતાના કુહાડાને ન કાષ્ટો કાયાંય પણ મળશે,
કપાવા આપવા સૌરભ હ્રદયચંદન અમારા છે.

બીજાનાં નેત્ર દાજે ત્યા અમારી કીકી ઓ કાઢી,
હસી સુરમો બનાવી લ્યો શીતલ અંજન અમારા છે.

ભલાઈની દીવાલો ત્યા બજે ડંકા બુરાઈનાં,
બસુરા એ સુરો સામે પ્રણયગુંજન અમારા છે.

સહન કરનાર ની સામે સિતમ કરનાર શુ કરશે? 
સિતમ કરનાર ની સાથે જીવનબંધન અમારા છે.

   '' બંસરી મીઠાશ ભરી ''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ  
    મો :- 9824474306




ચિતના ચોરામાં ''આતમવાણી''

ચિતના ચોરામાં ચોવટ ચાલતી, પંચમાં આતમ પટેલ;
મન ને બુદ્ધિને ઝગડો જામિયો, આણવા બેઠા ઉકેલ!... ચિતના ચોરામાં 

મતિ રે કહે કે, મન તું માળવે, ફોગટ ફરે છે ફટકેલ;
દુનિયા બધીનાં બાંધું દોરડાં, છટકી જાતું છકેલ!... ચિતના ચોરામાં 

મનડું બોલ્યુ કે, બુદ્ધિ! બોલ મા રેઢી ફરે છે રખડેલ;
દુનિયા આખીને તું ડોલાવતી, ખેલે એવા તું ખેલ!... ચિતના ચોરામાં 

કાયા ત્યાં કંપીને ફરીયાદ કરે, વાટ માં કાંટા વાવેલ;
ભોગના નામે હું રોગ ભોગવુ, સંગત ભુંડાની કરેલ!... ચિતના ચોરામાં 

ફડચો લખીને કાગળ ફાડિયો આતમે આપ્યો ઉકેલ;
ભાગ્યો હું તેદિ' ભુંડા હાલ છે, માંહ્યલા ત્રણે ધોજો મેલ.... ચિતના ચોરામાં 


            ''આતમવાણી''

   { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

    સંકલન :- રાજુભાઇ ભટ્ટ
        મો :- 9824474306



દેવો પડશે જવાબ! ''આતમવાણી''

જીવડા! દેવો પડશે જવાબ!
દેવો પડશે જવાબ, હરી તારો કરશે જે દિ' હિસાબ..... જીવડા! દેવો પડશે જવાબ!

કાંઠો તારો ભાળે ન કોઈ, પણ માંહ્યલો જાણે માપ;
વ્હેવારની વાતો વંચાશે તે દિ' તનડે લાગશે તાપ.... જીવડા! દેવો પડશે જવાબ!

ડાઘ છુપાવા દિલના, રાખી ઊપર ઊજળી છાપ;
સ્વારથ માટે ગરીબ જનને કાળજે મુકયા કાપ.... જીવડા! દેવો પડશે જવાબ!

મન્દિરમાં જઈ માળા ફેરવતો, જપતો ધનના જાપ;
રુદિયામાં કયાંય રામ ન બેઠો,  પ્રગટશે પરિતાપ .... જીવડા! દેવો પડશે જવાબ!

વાતે વાતે વાંધા પાડયા, અનીતિ આદરી અમાપ;
વૈતરણીમાં તરવું વસમું,  પોકારશે સૌ પાપ..... જીવડા! દેવો પડશે જવાબ!

મનખ્યાદેહ મળ્યો છે મોંઘો આપ્યુ હોય તો આપ;
આંખ ઉઘાડી, ન ડુંગરો દેખે એવી ખાતો નહી ભુલ થાપ.... જીવડા! દેવો પડશે જવાબ!



            ''આતમવાણી''

   { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

    સંકલન :- રાજુભાઇ ભટ્ટ
         મો:-9824474306



બાણ કાં મારો? ''આતમવાણી''

                 ગઝલ
સહન કરનાર ને કડવાં વચનનાં બાણ કાં મારો?
હ્રદયને ડંખ દે એવા વચનનાં બાણ કાં મારો?

અમારી ભુલ દેખો તો ભલે ગરદન તમે કાપો;
વગર વાંકે છતાં અમને વચનનાં બાણ કાં મારો?

ભલાઈ છે અમારી ત્યા બુરાઈ વાપરો છો કાં?
ન ભુલાતાં ન ભુંસાતાં, વચનનાં બાણ કાં મારો?

વીતાવિશુ જીવન તોયે, વચન કડવા ન વીસરાશે;
પ્રીતી માં વીષ પાનારા વચનનાં બાણ કાં મારો?

રૂઝાશે દેહ ના દાવો, ન દીલના છે રૂઝાવાના;
અમારા પ્રીય જન થયને વચનનાં બાણ કાં મારો?

કટુ વચને સદા જગમાં  વિરોધા ભાસ વધવાનો;
જીવન થઈ જાય છે જુદા વચનનાં બાણ કાં મારો?


            ''આતમવાણી''

   { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

    સંકલન :- રાજુભાઇ ભટ્ટ
          મો:-9824474306



દરીયો શું કામ ડોળે...... ''આતમવાણી''

દરીયો  શું કામ ડોળે દીવાના!
ખોળા માં પડયુ કેમ ખોળેમુસાફીર!
દરીયો  શું કામ ડોળે રે ...જી

પાણીનું ટીપું પાવું પડે નહી કરમ વાવેલા કોળે;
ખાજાંને ચુરમાં ખુબ ખાધાં, પણ ગરલ વીંટયું છે ગોળે;   મુસાફીર!
દરીયો  શું કામ ડોળે રે ...જી

માંપ કે તોલા કાઈ મળે નહી, ત્રાજવે શું કામ તોળે? 
તારી કેડીં એ હાથ થી કાંટા ફાંટુ ભરીને ફોળે ?   મુસાફીર!
દરીયો  શું કામ ડોળે રે ...જી

અમૃત પડયું તારી આખ ની સામે, ઘટમાં વીખડા ઘોળે;
ખજાને નાખ્યુ એતો કોક ખાવાનાં, ટીડ મળ્યા છે ટોળે -મુસાફીર!
દરીયો  શું કામ ડોળે રે ...જી 

 દીલનાં ડાધ ધોતો નથી ને શરીરે સાબુ ચોળે;
ભલો થવા તારી ભુલ નો ટોપલો બીજા ની માથે કેમ ઢોળે? મુસાફીર!
દરીયો  શું કામ ડોળે રે ...જી

હાથ અડે ત્યા હૈયુ દાઝે એવા ઢગલા ક્યા ઢંઢોળે?
મોંઘું રતન તારા રુદીયે બેઠું એને રાંખમાં શું કામ રોળે ? મુસાફીર!
દરીયો  શું કામ ડોળે રે ...જી



            ''આતમવાણી''

   { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

    સંકલન :- રાજુભાઇ ભટ્ટ
         મો:-9824474306








વાલા! તારા હૈયામાં પડી ગઈ છે રે હડતાળું રે.... '' બંસરી મિઠાસ ભરી''

વાલા!  તારા હૈયામાં પડી ગઈ છે રે હડતાળું રે
મોઢાની મીઠપ રાખ મા રે.....જી.
કાં તો તારા ખજાને ખંભાતી દીધુ તાળું રે;
મોઢાની મીઠપ રાખ મારે....જી.વાલા!

દીનનાં તું દુ:ખ ટાળે,ગીતમાં તેં ગાયું;
દુ:ખ ટાણે કાઢયું તારા દિલડે દિવાળું રે,
મુકાણું મીડું શાખ માં રે .....જી.વાલા! 
અંત ધડી આવી તોયે વહારે નહી આવ્યો ;
તપતા તનડે લાગી છે જબરી ઝાળું રે, રોળાશે મનડું રાખમાં રે .....જી.વાલા!

સમદર ખારા માથે શેષની પથારી;
સંગનો એ રંગ તારા રુદામાં હું ભાળું રે,
ધરણીને રાખી, ધાકમાં રે....જી.વાલા!

સોળસો ને આઠ તને રાણીયું રંજાડે;
ધર કજીયામાં તારું મોઢું થઈ ગ્યુ કાળું રે, 
નથડી તેં પહેરી,નાકમાં રે....જી.વાલા!

ઘંટીએ દળાણાં વાલા, ઘાણીએ પિલાણા;
ત્યારે તારાં નેહભીનાં નયનો નિહાળું રે;
આળસ અંગે , રાખમાં રે ....જી.વાલા! 

           '' બંસરી મિઠાસ ભરી''

      { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંપાદન :- રાજુભાઈ ભટ્ટ


સંત મોરારી બલિહારી. ( ફુલો વેરાણા ચોક મા )

[ત્રિભંગી છંદ]
શર ધનુકરધારી, હ્રદયે પ્યારી,જનકદુલારી,અસિરારિ,
પદ મંગલકારી, શ્રાપ નિવારી, અહલ્યા નારી ઉદ્ધારી;
કપિવર ઉર ધારી, કથા તમારી, જગત પ્રસારી, સુખકારી,
તુલસી અવતારી,  પાવનકારી સંત મોરારી,બલિહારી,
જય સંત મોરારી બલિહારી.

        ( ફુલો વેરાણા ચોક મા )
    
     - ભક્ત કવિ શ્રી ત્રાપજકરજી

     સંપાદન :- રાજુભાઈ ભટ્ટ

            મો:- 9824474306

તુ છોડ સારી ખલક ને.... '' આતમવાણી ''

તુ છોડ સારી ખલક ને, કર બંદગી ખાલેકની
હુ  બ્રહમ ની  વીણા ધરુ,  તુ ધૂન કર         આહલેક ની

દુનિયા બધી મે  જોઈ તેમજ તે બધી જોઈ છે
સહુ ના નિરાળા પંથછે, ત્યા કોણ કોનુ કોઈ છે ? 
જગની ફિકર ને છોડ તુ કરજે ફિકર તુ એકની.........
હુ  બ્રહમ ની  વીણા ધરુ,  તુ ધૂન કર         આહલેક ની

છે  ગૌર   તારુ અંગ એમા રંગ ભગવો શોભશે
ઝોળી નિરંજન નાથની જોગણ સ્વરુપે ઓપશે
સાથે મને તુ આપ કફની ભવ્ય ભગવા ભેખની.........
હુ  બ્રહમ ની  વીણા ધરુ,  તુ ધૂન કર         આહલેક ની

ચિતા  રચાશે  એક દી  તારા  મારા  દેહ ની
  સાથે નહી કોઈ બળે કિમત કરી સ્નેહ ની
હંકાર હોડી સાગરે વૈરાગ્ય  ને વિવેક ની.....
હુ  બ્રહમ ની  વીણા ધરુ,  તુ ધૂન કર         આહલેક ની

            '' આતમવાણી ''

         (કવિ શ્રી ત્રાપજકર દાદા)

   સંપાદક :- રાજુભાઈ બી ભટ્ટ
        મો:- 9824474306

આ દેહ પ્રભુ નુ મંદિર છે.... { ફુલો વેરાણા ચોક મા }

આ દેહ પ્રભુ નુ મંદિર છે,
       ત્યાં ઝળહળ જ્યોત બિરાજે છે.
ઓહમ સોહમ ની વિણા નુ,
       ત્યાં   ગીત   મધુરું   ગાંજે   છે.
આ હ્રદય બન્યું છે ઝાલર ને,
        ત્યાં  નીયમિત  ડંકા  વાગે  છે.
એ મંદિરમા જો મેલ ભર્યો તો,
         માનવ   થઇ  શુ   છાજે   છે?
છે સુન્દર ચેતન તિર્થ ભુમિ,
          તે  પરહિત  ને  પ્રભુ કાજે છે.
જીવન ને સાર્થક જો ન કર્યું ,
           તો   દેવ  નુ  દિલડુ  દાઝે  છે.
અહીં યમુના છે, અહીં ગંગા છે,
           અહીં મોરમુકટધર  રાજે છે.
આંતર ચક્ષુ થી દ્વષ્ટી કરો,
          પ્રભુ અહીંનો અહીં બિરાજે છે.
આ દેહ પ્રભુ નુ મંદિર છે!!!

     
         { ફુલો વેરાણા ચોક મા }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306 




શિવોહમ્.{ ફુલો વેરાણા ચોક મા }

                    (૧)
અનુકૂળતા  ને  તમે  સુખ  મા  નો,
પ્રતિકુળતાને   તમે   દુ:ખ   માનો;
સુખો ને દુ:ખોની આ વ્યાખ્યા તમારી,
તમારાથી જુદી છે વ્યાખ્યા અમારી.
                    (૨)
તમે તો સદા ભોગમાં સુખ માન્યાં,
અમે તો સદા ભોગમાં દુ:ખ માન્યાં,
તમે  તો  સદા રાગમાં  સુખ માન્યાં,
અમે સ્વાર્થના ત્યાગમાં સુખ માન્યાં.
                     (૩)
ન સતા મહતા, ન કિર્તિ ન માયા,
ન પુત્રો કલત્રો, ન મિત્રો ન માયા,
ન ભ્રાતા  ન પિતા, ન બેની બનોઈ,
તમારા ગણો પણ તમારુ ન કોઈ.
                    (૪)
નથી સ્થીર વર્ષા, નથી સ્થીર વૃષ્ટિ,
નથી સ્થીર દ્રષ્ટિ, નથી સ્થીર સૃષ્ટિ,
સદા સ્થીર સત્યમ્, વદો મંત્ર સોહમ્,
રટો આત્માથી શિવોહમ્ શિવોહમ્.
                    (૫)
મળે તો જ શાન્તિ, મળે તો જ સુખો,
ગળે  ગર્વ   મિથ્યા , ટળે  સર્વ  દુ:ખો;
જીવો  જો  હમેશા,  પ્રભુ  ને  સહારે,
તરી ને  જશે    નાવ    સામે   કિનારે.

        { ફુલો વેરાણા ચોક મા }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306 


'' મિરાં મિરાં ''! કેમ રટો છો મુરારી? { ફુલો વેરાણા ચોક મા }

'' મિરાં મિરાં ''! કેમ રટો છો મુરારી? મ
લક્ષ્મીજી!  મને સાંભરી મિરાં,
       નિદ ઉડી ગય મારી .... મિરાં મિરાં ''! કેમ રટો છો મુરારી?

રાણાને એ પરણી તોયે બની નહી સંસારી,
     બાળ પણા થી મુજસંગ પ્રીતી,
          રહી ગય બાળ કુવારી .... મિરાં મિરાં ''! કેમ રટો છો મુરારી?

મુજ કાજે જે દુ:ખ પડયા તે સુખ માની સહેનારી,
    વિષના પ્યાલા પિધા ત્યારે,
       રટતી કુંજ બિહારી .... મિરાં મિરાં ''! કેમ રટો છો મુરારી?

સ્વપ્ના મા પણ કદી મિરાં એ પ્રીતી નથી વિસારી,
     મિરાં કે પ્રભુ ગીરીધર ગાતા,
         મિરાં બની ગય મારી .... મિરાં મિરાં ''! કેમ રટો છો મુરારી?

શબરી વ્હીલી, ગોપી વ્હીલી, તમે પત્ની અધિકારી
     મિરા સહુમાં મુગટમણી છે,
          પ્રીત મિરા ની ન્યારી .... મિરાં મિરાં''! કેમ રટો છો મુરારી?

પ્રીત સમજવા મિરા ની મે એકજ વાત વિચારી,
     મિરાં થય ને હુ જન્મુ ને,
        મિરાં બને મુરારી ..... મિરાં મિરાં ''! કેમ રટો છો મુરારી?

         { ફુલો વેરાણા ચોક મા }

      ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા

      સંપાદક :- રાજુભાઈ બી ભટ્ટ
              મો:-9824474306  

અવગુણ અપરંપાર ...... { ફુલો વેરાણા ચોક મા }

મનવા  !    અવગુણ   અપરંપાર
જુઠુ બોલે, જુઠુ  તોળે, જુઠો છે વહેવાર,
અવળી સંગત,અવળી બુદ્ધિ,  અવળો છે વિચાર .... મનવા

સાબુ થી મુખ ધોઇ જોતો દર્પણ મા દસવાર,
મુખ છે ઉજળુ, મન છે કાળું, નયન ભર્યો વિકાર .... મનવા

કામ ક્રોધ બે મિત્રો તારાં લોભ તણો નહીં પાર,
પોતાની પ્રમદાને પજવે, પ્રીય લાગે પરનાર .... મનવા

પુજા કરે કે પાઠ કરે નહી, માફ કરે કીરતાર,
તારી નૌકા તુજ ડુબાડે, કેમ જશે ભવપાર?? .... મનવા

        { ફુલો વેરાણા ચોક મા }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306 

      

આ દેહ પ્રભુ નુ મંદિર છે.... { ફુલો વેરાણા ચોક મા }

આ દેહ પ્રભુ નુ મંદિર છે,
       ત્યાં ઝળહળ જ્યોત બિરાજે છે.
ઓહમ સોહમ ની વિણા નુ,
       ત્યાં   ગીત   મધુરું   ગાંજે   છે.
આ હ્રદય બન્યું છે ઝાલર ને,
        ત્યાં  નીયમિત  ડંકા  વાગે  છે.
એ મંદિરમા જો મેલ ભર્યો તો,
         માનવ   થઇ  શુ   છાજે   છે?
છે સુન્દર ચેતન તિર્થ ભુમિ,
          તે  પરહિત  ને  પ્રભુ કાજે છે.
જીવન ને સાર્થક જો ન કર્યું ,
           તો   દેવ  નુ  દિલડુ  દાઝે  છે.
અહીં યમુના છે, અહીં ગંગા છે,
           અહીં મોરમુકટધર  રાજે છે.
આંતર ચક્ષુ થી દ્વષ્ટી કરો,
          પ્રભુ અહીંનો અહીં બિરાજે છે.
આ દેહ પ્રભુ નુ મંદિર છે!!!

     
         { ફુલો વેરાણા ચોક મા }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306 




રાષ્ટ્રવીર થાજો તમે.... { ફુલો વેરાણા ચોક મા }

દેશ પર આવે જો આફત રાષ્ટ્રવીર થાજો તમે,
કોઈની નિંદા સુણો ત્યારે બધીર થજો તમે.

ગ્રીષ્મ નો તડકો ભલે ને હસી ને વેઠ્યા કરો,
કોઈ તપતા હોઈત્યા શીતળ સમીર થજો તમે.

ચડતા દિવસ જોઈ કોઈ ભુખ્યો આવે આંગણે, 
ભૂખ્યા રહી ખવડાવજો એવા અમીર થાજો તમે.

નાક અને શાખ માટે ફના પણ થઈ જાવ તો,
ફિકર ને ઘોળી પીતા એવા ફકિર થાજો તમે.

વતન માટે જે વીરો ખાંભી બની ખોડાય છે,
એ મરજીવા છે માનવી, એનુ ખમીર થાજો તમે.

ભજન કરતા રામ નુ જો રામ તમને ના મળે,
તો ધીરજ રાખી શબરી જેવા સુધીર થાજો તમે.

         { ફુલો વેરાણા ચોક મા }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306

પિયાલો પાયો રે ગુરુજીએ પ્રેમ નો.... { ફુલો વેરાણા ચોક મા }

પિયાલો પાયો રે ગુરુજીએ પ્રેમ નો,
         એના  ઘટ   માં   ઘુટેલ.
અજરા પીશે તો ઉબકા આવશે,
      જરવો  ખાંડાકેરો  ખેલ...પિયાલો.
પીતાં રે ધોવાણા પંડ ના પાપ સૌ,
         મન  નો  ધોવાણો  છે  મેલ.
તાળા રે ટુટ્યા ને ભોગળ ભાગ્યું,
      બારણા ઉઘડ્યા બિડેલ...પિયાલો
ઝાંઝવાં જોયા ને જળ ના પામિયા,
         ધરતી  ધોમ  ધખેલ.
જોગીડે આવી ને અંજલિ પાય ત્યાં,
          હૈયે હેમાળો ઢળેલ ... પિયાલો
બત્રીસે  કોઠે  પ્રગટીયા  દીવડા,
         તપ, જપ, પુરાણા છે તેલ.
મહિમા ગુરુ નો મોટો જાણવો,
      જગ ની છોડાવે છે જેલ...પિયાલો

         { ફુલો વેરાણા ચોક મા }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306

શીખવી પડશે.... { ફુલો વેરાણા ચોક મા }

પ્રભુતા પામવા માટે લઘુતા શીખવી પડે
મહતા મેળવી લેવા નમ્રતા શીખવી  પડશે

તમારા  વાણી વર્તન  નો બધે પડધો પડી જશે
ગુરુ થનાર ને પહેલા ગુરુતા શીખવી પડશે

હતી જે જીત ની બાજી ભલે તે હારમા આવી
અને એ હાર માથી  પણ સફળતા શીખવી પડશે

જાય છે સાપ દર મા ત્યા, નથી ચાલતો વાંકો
ગણાવુ હોય સજ્જન મા, સરળતા શીખવી પડશે

જમાનો ગયો છે પલટી,નહી કોઈ કોઈનુ સાંખે
તમારી ઉગ્ર ભાષા ને મૃદુતા શીખવી પડશે

તમારા આત્મા ની જેવો સહુમા આત્મ સરખો છે
નથી કોઈ ઉંચ કે નીચા, એકતા શીખવી પડશે

         { ફુલો વેરાણા ચોક મા }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306

કારણ વગર નકામી,તકરાર કા કરો છો ? { ફુલો વેરાણા ચોક મા }

કારણ વગર નકામી,તકરાર કા કરો છો ?
અમને તમારા દિલથી હદપાર કા કરો છો

જ્યા દેહ અને દિલ એક થઈ ગયા છે,
ત્યાં  રાખવા જુદાઈ વિચાર કા કરો છો

કોમળ તમારુ દિલ છે ને પુષ્પ સમી કાયા
તેમા કઠોરતા ને સાકાર કા કરો છો

નમણા તમારા નયનો ત્યા હુ જ પુરાયો છુ
તો પાંપણો ઢાળી અંધાર કા કરો છો

ચાહે તે કરો શિક્ષા, પણ મૌન રાખશો ના
જે છે તમારો તેને લાચાર કા કરો છો?

         { ફુલો વેરાણા ચોક મા }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306

સ્વરઃ મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકરગીત-સંગીતઃ અવિનાશ વ્યાસચિત્રપટઃ વીરપસલી (૧૯૭૯)

વહાલી તને આજ પૂછવું છે તારા હૈયામાં શું છે?
તું છે!

વહાલાના હૈયામાં હું છું તો નૈનોમાં શું છે?
તું છે!

હું છું તારો પોપટ  ને તું છે  મારી મેના
લાગી ગયા દિલડાથી દિલ આજ બેના

એ મેનામાં મનગમતો પોપટ તો પોપટમાં શું છે?
તું છે!

વહાલી તને આજ પૂછવું છે તારા હૈયામાં શું છે?
તું છે!

હું છું તારી ગાડી ને તું ગાડીનો ટટ્ટુ
તું છે મારી બજર  હું બજરનો બટ્ટુ

તો ગાડીનો ટટ્ટુ બજરબટ્ટુ તો ટટ્ટુમાં શુ છે?
તું છે!

વહાલી તને આજ પૂછવું છે તારા હૈયામાં શું છે?
તું છે!

હૈયું છે મોંઘું કે નથી સાવ સસ્તું
હૈયું  નથી  કોઈ  રસ્તાની વસ્તુ

કે હૈયું નથી રસ્તાની વસ્તુ તો વસ્તુમાં શું છે?
તું છે!

વહાલાના હૈયામાં હું છું તો નૈનોમાં શું છે?
તું છે!

વહાલી તને આજ પૂછવું છે તારા હૈયામાં શું છે?

સ્વરઃ મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ વીરપસલી (૧૯૭૯)

ક્લીક કરો અને સાંભળોઃ
1979_Veer_Pasli-Vahali_Tane_Aaj
-Mahendra_Kapoor&Usha_Mangeshkar-
Avinash_Vyas.mp3
ફિલ્મ ‘વીરપસલી’ જેના પરથી ઉતારવામાં આવી હતી તે નાટક ‘વીરપસલી’ માટે કવિ પરમાણંદ ત્રાપજકરે લખેલા સંવાદો અને ગીતો તે સમયમાં ભારે લોકપ્રિય થયા હતા.

ક્લીક કરો અને સાંભળો
જૂની રંગભૂમિના નાટક ‘વીરપસલી’નું ગીત
‘પ્રેમીને પ્રેમી કોઈ પૂછે’

સ્વરઃ વત્સલા અને ભોગીલાલ
ગીતઃ કવિ પરમાણંદ મણીશંકર ભટ્ટ ‘ત્રાપજકર’
સંગીતઃ માસ્ટર મોહન જુનિયર
નાટકઃ વીરપસલી (લક્ષ્મીકાન્ત નાટક સમાજ)

Premi_Ne_Premi_Koi_Puchhe
-Vatsala&Bhogilal-Kavi_Trapajkar-
Mohan_Junior-Veerpasali.mp3

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306

કર મા જીવ! તુ કાળા કામ......''આતમવાણી''

      કર મા જીવ! તુ કાળા કામ,
જીવ! તુ કાળા કામ,તારો ચોપડો લખતો રામ!
      કર મા જીવ! તુ કાળા કામ,
ધન ધૂતીને ભેળુ કરવા, હૈયડે રાખી હામ;
સ્વપ્નામાં પણ સાચુ ન બોલ્યો  ગપિયું તારુગામ...
      કર મા જીવ! તુ કાળા કામ.
દુખિયાં દેખી દાન ન દીધુ, દપટી રાખ્યા દામ;
જાગીને કોઈ મુખ ન જુએ (એવા) નગણું તારુનામ...
      કર મા જીવ! તુ કાળા કામ,
પાપ ભર્યા છે પાયામા, તારાં ધ્રુજતા બોલતા ધામ;
રામ ભુલ્યો તો ક્યાંય ન મળશે અધઘડી આરામ...
      કર મા જીવ! તુ કાળા કામ,

            ''આતમવાણી''

 
    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306






ગુરુજી ની દયાનો પરતાપ..... { ફુલો વેરાણા ચોક મા }

ગુરુજી ની દયાનો પરતાપ,માપતા મળે ન કોઈ દી માપ,
    ગુરુજી ની દયાનો પરતાપ  જી.....

જનમ જનમ નો જોગંધર તુ, જપેલ હરી ના જાપ જી,
મીટ માંડે ત્યા મટી જાતા સંકટ ને સંતાપ.
    ગુરુજી ની દયાનો પરતાપ જી.....

પામર જીવ ને પાવન કરતા, ઉર મા પ્રેમ અપાર જી,
રુદિયો ઘુંટી ને રુઝાવી દીધા, કાળજે પડીયેલ કાપ
        ગુરુજી ની દયાનો પરતાપ જી...

ભાંગતુ ગાડુ જોઈને ભાગે, ભેરુ આપો આપ જી,
ગુરુજી લીધુ ધુસરુ કાંધે  ત્રગણી મારી તરાપ.
       ગુરુજી ની દયાનો પરતાપ જી...

અંગ ઉઘાડા જોઈને મારા ઓઢાડ્યા કિનખાબ જી,
ગુરુ ગંગા મા નહાતા મારા ધોવાણા છે પાપ
       ગુરુજી ની દયાનો પરતાપ જી....

         { ફુલો વેરાણા ચોક મા }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306

સરીતા! આપ મને તુ જવાબ....{ ફુલો વેરાણા ચોક મા }

સરીતા! આપ મને તુ જવાબ કે,
                 શાને સાગર ઘેર ગઈ?
મીઠડાં તારા જળ હતા તુ શુકામ ખારી થઈ?  .....સરીતા!

કવિ! મારે સાગર થવુ'તુ,
સાગર થી હુ જુદીપડી મારું મન મુંઝાતું ' તું  ,
               કવિ! મારું મન મુંઝાતુ ' તું
                                       .....સરીતા!

સાગર માથી વરાળ થઈ ને વાદળી હુતો થઈ,
વિયોગ લાગ્યો વસમો તેથી વ્હાલ થી વરસી ગઈ,
                નદી મટી સાગર થવુ ' તુ.
વિશ્વ કિનારે એકતાનુ મારે ગીતડુ ગાવુ ' તુ ......સરીતા!

         { ફુલો વેરાણા ચોક મા }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306

પ્રેમ ની રીત છે...... { ફુલો વેરાણા ચોક મા }

પ્રેમ ની રીત છે ખરેખર ન્યારી,
મોહ મહીં જે ડુબી ગ્યા તે શું જાણે સંસારી .... પ્રેમ ની રીત છે.

કાં તો શબરી નુ મન જાણે, જાણે જનકદુલારી,
કાં જાણે ગોકુળ ની ગોપી, જાણે કુંજબીહારી .... પ્રેમ ની રીત છે.

મીરા નુ એક મનડું જાણે , હસતા વિષ પીનારી,
કાં તો દ્રુપદતનયા જાણે, કાં તો ગૌતમ નારી .... પ્રેમ ની રીત છે.

નરસી જાણે, તુલસી જાણે, કબીર ની બલિહારી,
પ્રેમ રીતને જાણી તેણે નૈયા પાર ઉતારી .... પ્રેમ ની રીત છે.

         { ફુલો વેરાણા ચોક મા }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306

સુતર ના તાંતણે સ્વરાજ્ય....{ ફુલો વેરાણા ચોક મા }

અમે લીધું સ્વરાજ્ય, અમે લીધું સ્વરાજ્ય,
સુતર ના તાંતણે સ્વરાજ્ય.

કાંચા એ તારે વણ્યા જીવનનાં તાર,
તોળ્યો એ તારે આખા ભારત નો ભાર,
શસ્ત્રો સંતાય ગયા, પરદેશી ચાલ્યાં ગયા,
ગાંધીજી એ કરી નૈયા ને પાર ... અમે લીધું સ્વરાજ્ય,

સત્ય ને અહિંસા ના, પ્રેમ, શૌર્ય, ભાવનાના,
ત્યાગના ઉપાસકે  કર્યો છે ઉદ્ધાર,
કોટિ કોટિ માનવીના મુખનો અવાજ ... અમે લીધું સ્વરાજ્ય, અમે લીધું સ્વરાજ્ય,
સુતર ના તાંતણે સ્વરાજ્ય.

         { ફુલો વેરાણા ચોક મા }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306

લોક ~ માધુરી દોહરા { ફુલો વેરાણા ચોક મા }

         (૧)
સારક સાથે દુધ ભળે , ગોળ ભળે કંસાર ;
મન  સાથે  મનડુ  મળે , તો સુખી સંસાર!
         (૨) 
ગુણવાળી ગૃહિણી, ભાવ ભર્યો ભરથાર ;
સાગર મા સરીતા મળે, તો સુખી સંસાર!
                    (૩) 
જીવ અને માયા મળ્યા,  સરજ્યાં નર ને નાર;
સારસ સમ જીવી શકે, તો સુખી સંસાર!
                    (૪) 
મન મિઠા, વાણી મિઠી, વર્તન ને વહેવાર ;
એકજ સરખા હોય જો,  તો સુખી સંસાર!
                  (૫) 
પર્ણકુટીર રહેવા મળે, જમવા મળે જુવાર ;
ઊણપ ન રાખે અંતરે, તો સુખી સંસાર!
                    (૬) 
મેઘ  ચડે  આકાશ માં,વનમાં  ટહુકે મોર ;
એવી બાંધી પ્રીતડી, જેમ ચંદ્ર ને ચકોર.
                    (૭) 
દીવસ વિતે છે દોહ્યલાં,વસમી વિતે રાત ;
મન ની મન મા રહી ગય, કોને કહેવી વાત? 
                  (૮) 
જે દીથી જુદા પડયા, દુ:ખ ના આવ્યાં દીન;
એવી થય દીલની દશા,  જળ વિણ જેવુ મિન.
                (૯) 
મારા મનમાં છો તમે, તમ મનમાં હુ તેમ;
પરભવ બાંધી પ્રીતડી, આભવ પ્રગટ્યો પ્રેમ. 
                 (૧૦) 
થોડા મિલન આપણા, ઝાઝી બાંધી પ્રીત ;
જીવન સંગાથી જો થશુ, ઘેલા થશુ નિત્ય. 
                  (૧૧) 
ચાતક જળ વિણ ટળવળે, મેઘ ચડયો ઘનઘોર, 
ગરજે પણ વરસે નહિં, કાળજું થાયુ કઠોર.
                    (૧૨) 
મીઠાં  બોલા માનવી, અંતર કડવા ઝેર, 
વિશ્વાસે વળગો નહિં, મળે ન મનનો મેળ. 
                  (૧૩) 
જગની સુરજ જ્યોત છે, ઘુવડ ને અંધકાર, 
તેને  તેમાં  રસ પડે, જેને  જે  પર  પ્યાર. 
                 (૧૪) 
ઢોળે જયને વાદળા રણ માં નિર્મળ નિર, 
ટળવળતી રહે માછલી, સ્નેહ સરોવર તીર.
                (૧૫) 
ચંદ્ર વિનાની ચાંદની, મોતી વિનાનો હાર, 
કાજલ વિનાની આંખડી, પત્ની વિના સંસાર. 
                (૧૬)  
ટુકડા અન્ન ને કારણે શ્વાન  ઘરોઘર જાય, 
ભુખ્યો સાત દીવસ રહે સિંહ તુણ ન ખાય. 
                (૧૭)  
આવક ને જાવક તણો હિસાબ રાખે રોજ, 
ચતુર ને ચિંતા ઘણી મુરખ ને મન મોજ. 
                (૧૮)  
જળના મોજા જળ વિષે ઉઠી જેમ સમાય. 
નિષ્કિય નરના મનસૂબા મનના મન રહી જાય. 
                (૧૯)  
પુંછો કોઈ ચકોર ને પળપળ ક્યાં અકળાઈ? 
કાં તો સારસ ને પુંછો સ્નેહી જતા શું થાય? 
                (૨૦)  
અમૃત પાય ઉછેર્યા, એ ગુણ ભુલી જાય, 
મનને શાન્તિ ક્યા મળે?  જો વાલા વેરી થાય. 
               (૨૧)  
આખ કરે છે અડપલાં, હ્રદય સહે છે ઘાવ, 
પ્રીત કોઈ કરશો નહિં, અધવચ ડુબે નાવ. 
               (૨૨)  
સંપત મળે ને સાહ્યબી, છતાં નહિં સંતોષ, 
દુ:ખ દુ:ખ ગાયા કરે કોનો દેવો દોષ?
               (૨૩)  
જે દિન તુ ચાલ્યો જશે, ખુલ્લાં રાખી હાથ, 
પરને આપ્યું હાથથી પુણ્ય આવશે સાથ.
               (૨૪)  
ડાયરો બેઠો ડેલીએ રંગ આપે છે રોજ, 
આપ્યું છેતો આપજે માણી લેજે મોજ
               (૨૫)  
સ્વપ્નામાં સાજણ મળે વિગતે કરવા વાત, 
સાત વરસ ની શામળા લાંબી કરજે રાત.
               (૨૬)  
ફટકીયા ની હોય છે વિધ વિધ જાત અનેક, 
કોકજ  પાકે  લાખનું  મોંઘું  મોતી  એક. 
               (૨૭)  
નવરો થઇ નિંદા કરી ગુણ ના અવગુણ ગાઈ, 
એનેય માફી આપજે  તો   તારી માણસાઇ. 
               (૨૮)  
પાણીમા સૌ હાંકતા, એના નાહોય વખાણ, 
રંગ  તને  છે  રેતીમાં  ભડ  હકાર્યુ વહાણ. 
               (૨૯) 
આ ઋતુ માં જે કામિની જાય પિયર ને પંથ, 
કાં ગોરી માં ગુણ નહિં કાં કઠણ હૈયા નો કંથ. 


         { ફુલો વેરાણા ચોક મા }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~ 

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ 
            મો:- 9824474306





એવો જનમ મને આપો.....{ આતમવાણી }

મનખ્યા જનમ તો જોય લીધાં હવે,
એવો    જનમ   મને     આપો ;
જાદવરાય! એવો જનમ મને આપો ..રે જી...
વડલો થઇ ને વાયરો ઢોળુ, તનડે ઝીલુ બધા તાપો ...રે ...જી...
સુખડ થઇ ને આપુ સુગંધી, કાયા ભલે કોઈ કાપો... જાદવરાય! એવો જનમ .

બવળા બાજરાના ડુંડાબનું હું, ખેતર નો ન બનુ ખાપો રે ...જી
માપ તો મારું માંહ્યલો માપશે, મણે તોળી ને ભલે માપો ... જાદવરાય! એવો જનમ.

રાજદરબારે દરવાજો થવું નથી, ઝુંપડીનો બનુ ઝાંપો રે ...જી..
કપુર થઇ ને કાયાને બાળુ , ચિનગારી ભલે ચાપો ... જાદવરાય! એવો જનમ.

પુણ્ય બનીને આંસુડે ધોવા છે પરના મારે પાપો રે ....જી...
વાસ બની ને કોઈનાં માટે તરવા નો બનુ ત્રાપો ... જાદવરાય! એવો જનમ.

             {  આતમવાણી  }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306





ચૌદ ભુવનો ચીતારો... '' બંસરી મિઠાસ ભરી''

ચૌદ ભુવનને ચીતરી બેઠો ઈ ચિતવ્યું ચીતરનારો;
ઠગારો ઈક્યાંથી આવ્યો ચિતારો?

કલપના નો કાગળ લીધો ને સંકલ્યનો સહારો;
શિવમાંથી એ તો જીવના અંગડે,રંગ માયાના રંગનારો...  ઠગારો.મ

સુરજ, તારા,ચાંદાને ચીતર્યાને, આભનો આવે ન આરો;
થાંભલો એણે ક્યાઈ ન ચીતર્યોઆ, માંડવો ઊભો નોધારો... ઠગારો

પાંચે તત્વે પ્રાણને ચીતર્યો ને,
ચેતનનો મુક્યો ચમકારો;
મારા તારાના ભેદના પડદા,ઈ ચીતરી ને હસનારો...ઠગારો

           '' બંસરી મિઠાસ ભરી''

      { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
             મો:-9824474306

તું બની જા! ફુલો વેરાણાં ચોક માં

ગઝલ ભૈરવી,  તાલ

હું બસરી બની છું.મમ શ્યામ તું બની જા;
મારા મધુર સ્વરનું;રસધામ તું બની જા
તારી  જીવન۔ વિભૂતિ,થઇને અધરને ચૂમું;
પણ કૂષ્ણ જેમ પ્રેમી!નિષ્કામ તુ બની જા
મારા સ્વરો મિલાવી,તારી કળા ગજાવું;
તુજ બંસરી  હ્રદયનું,પ્રિય નામ તું બની જા!
તુજ કાજ મેં હ્રદયમાં , ઘાવો  સહન કયાૅ છે;
જાદુગરા! જીવન નો,  આ રામ  તું બની જા!
જન્મોજનમ બની છુ, તુજ પ્રેમની પુૅજારી;
ભવ તારનાર મારો, ભગવાન તું બની જા!

       ફુલો વેરાણાં ચોક માં

{ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા}
 
   સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
             મો:-9824474306 

હસું છું....... ( ફૂલો વેરાણાં ચોક માં )

હું મારા વીતેલા જીવન પર હસું છું ,
પડે  અશ્રુ  ત્યારે  રુદન  પર હસું છું .
મને  છેતરી  ને  ચરણ  ચૂમનારા ,
હું એવા જનોના નમન પર હસું છું .
 ઉપાધી ના સાપો નીચે સળવળે છે ,
ઉપર પુષ્પવાળા શયન પર હસું છું
નિહાળી  ને  નારી  થતા  રુપઘેલા ,
પતંગા ની જેવા નયન પર હસું છું.
જવાનું હતું ક્યાં અને ક્યાં હું આવ્યો !
       દિશાશુન્ય મારા ગમન પર હસું છું। .......
                            
      (  ફૂલો વેરાણાં ચોક માં )      

( ભક્ત કવી શ્રી ત્રાપજકર દાદા )


        સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
             મો:-9824474306




સંતો નો સંદેશ

પધારો દેવ વસે તે દેશ ! સુણવા સન્તો ના સંદેશ
જીવનમાં  આચરવા આદેશ  ! ..... પધારો..............

હ્રદય  છે પ્રેમ પુષ્પ નો બાગ , રેલજો સહુ પર પ્રેમ  પરાગ ,

ભુલી  જઇ ભિન્ન  ભાવ આવેશ !  ......
પધારો .........

ઉઘાડા  પ્રભુ  કેરા દ્વાર, આવવા છે સહુ ને અધિકાર  

સાધવા મંગલમય  ઉદેશ ! ............
પધારો 

   {ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા}

        સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
            મો.:- 9824474306 

આપતો જાજે રે! { આતમવાણી }

આપતો જાજે રે!  મળ્યું તો આપતો જાજે રે,
સુકાણા હાડ, પાડોશીનાં બાળને મોઢેતુ,
      મુઠી ચણ નાખતો જાજે રે..મળ્યુ.

પીડીતોનાં ગીતડાંગાજે,તપ્યાઓનો છાંયડોથાજે,
આથમ્યા સુરજ, એની ડેલીએ ઉષાનાં ગીત,
       થોડાં સંળાવતો જાજે રે...મળ્યુ.

દરિયો કાઢતો ડોળા, ઊભા જયાં કાળ ના ઓળા,
સુકાની થઈ ચડેલું વમળે કોઈ નુ નાવ,
       ધીરેથી હાંકતો જાજે રે...મળ્યુ.

મંદિર કે મ્હેલ ના થાજે,હીરોના લાખનોથાજે,
સુનાં કોઈને ખેતર તારા હાડનાં ખાતર દઈ,
      કણો રોપાવતો જાજે રે...મળ્યુ.

            {  આતમવાણી }

  ~ ભક્ત કવી શ્રી ત્રાપજકર દાદા ~

   સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
          મો.:- 9824474306

        

માનવતા ખોવાય નહી.... { આતમવાણી }

  ધન ખોયુ પાછુ મળશે, પણ માનવતા ખોવાય નહી.
દર્જનતા કોઈની દેખીને, સજ્જનતા ખોવાય નહી.
         સાગર મોટો સરીતા નાની,
         ગાગર વાત કહે  છે  છાની,
સરીતા છોડી સાગરનાં કંઈ ખારાં જળ પિવાય નહી.
        સ્વાર્થમહીં  દુનીયા બુડી,
        છે  માનવતા સાચી મુડી,
ચંદ્ર ચમકતો દેખીને ઘરદીવડીયા ઓલવાય નહી.

            {  આતમવાણી }

  ~ ભક્ત કવી શ્રી ત્રાપજકર દાદા ~

   સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
          મો.:- 9824474306

         

જમાનાની રોકી લો વણઝાર....{ ફુલો વેરાણાં ચોક માં }

 (રાગ-પગ મને ધોવા દો રઘુરાય)
 
    જમાનાની રોકી લો વણઝાર, 
રોકી લો વણઝાર, ખોલી નાખો માનવતાનાં દ્વાર ;
જમાનાની રોકી લો વણઝાર.

બાપની સામે બેટડો બોલે, લાજ ન રાખે લગાર, 
સગાં ને સ્નેહી સ્વારથ સંગી, ધર્મ ભુલે ઘરનાર, 
જમાનાની રોકી લો વણઝાર, 

પરણેતર પર પ્રેમ ન રાખે, પરનારી પર પ્યાર, 
આંસુ ખેરે અબળા, પાછો મારે ઉપરથી માર, 
જમાનાની રોકી લો વણઝાર, 

બહેન બનેવી તોજ બોલાવે , ખીસામાં કલદાર , 
નિર્ધન જાણી મામા-માસી બંધ કરી દે બાર, 
જમાનાની રોકી લો વણઝાર, 

મતલબિયા જન આંગણે આવે સુખમાં સો સો વાર, 
દુ:ખ પડે ત્યારે નથી સ્વારથના  સરદાર, 
જમાનાની રોકી લો વણઝાર, 

ભુખ્યા પેટે ટળવળે છે પાડોશીનાં બાળ, 
બંગલામાં રહેનારાં એની લેતાં નથી સંભાળ, 
જમાનાની રોકી લો વણઝાર, 

ગરીબ ખેડુત આંટા મારે પંચાયત ને દ્વાર, 
દામ ન આપે તો દપટી રાખે તગાવીને તુમાર, 
જમાનાની રોકી લો વણઝાર, 

વગ ન હોય તેનો વારો ન આવે, અરજી કરે અપાર, 
મામા-માસી ના ને નોકરી મળે, એવી સમજુ છે સરકાર, 
જમાનાની રોકી લો વણઝાર, 

ધન મળ્યું તો ય નથી ધરાતા, કરે છે કાળાંબજાર, 
માનવી! તું થા સાચો માનવ, પ્રભુ કરે છે પોકાર, 
જમાનાની રોકી લો વણઝાર, 

       { ફુલો વેરાણાં ચોક માં }

  ~ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~ 

      સંપાદક :- રાજુભાઈ ભટ્ટ 
             મો:-9824474306 


યુગને આધીન થાશો... { ફુલો વેરાણાં ચોક માં }

          યુગને    આધીન     થાશો,
          ઝીણી વાતું સમજી જાશો,
ઋષિકુળે જન્મી લીધાં, તપ, વિધા ને ત્યાગ ;
ભૂદેવ કેરું બિરુદ પામ્યા, વસમો લઈ વૈરાગ્ય ;
          સમાજ  ના  સેવક   થાશો,
          બ્રાહ્મણ તમે તો જ પૂજાશો.
ચૌદ વરસ જેણે વનમાં વેઠયાં, પિતા વચનને કાજ;
ટેક, નેક, સત્ય, દયા ને નિતિ, રામે ચલાવ્યુ રાજ્ય ;
          ક્ષત્રિય થાજો રામની જેવા,
          પ્રજા    ની    કરજો     સેવા.
વૈશ્ય તો સાચો શગાળશા, જેણે દીંધા પુત્ર ના દાન ;
સાચું બોલે, જુઠ ન તોળે, પત કાજે દે પ્રાણ ;
          વાણિયા વહેવારુ થાજો,
          નીતિ  નુ  નાણું   કમાજો.
પશુપંખીએ ન્યાત રચીને, કર્યો નથી મતભેદ ;
ન્યાતના વાડા ને વાદના વાડા, ખરેખરો છે ખેદ ;
           માનવ! માનવતા રાખો,
          જ્ઞાતીભેદ દરિયે  નાખો.

       { ફુલો વેરાણાં ચોક માં }

  ~ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

      સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
             મો:-9824474306

શ્યામળીયા નો ચોપડો ચોખ્ખો.... { ફુલો વેરાણાં ચોક માં }

     શ્યામળીયા નો ન્યાય છે નોખો, 
     રાખ્યો  એણે   ચોપડો  ચોખ્ખો.
દશ દિશાએ સુરજ ચાંદાના, પહેરા રોજ રખાય ;
પવન આવી ને નોંધ કરાવે, નામું એવું નોંધાય ;
           સરવૈયા રોજ છપાતા, 
            હિસાબો રોકડા થાતા. 
ઉચ્ચતાનાં અભિમાનથી રાખી, આકરી આભડછેટ ;
બ્રાહ્મણ કરે  નોકરી આજે , હરીજનોની હેઠ ;
          ભંગીના હાથનું  ખાતા, 
          હિસાબો  રોકડા  થાતા. 
ન્યાત પટેલ બનીને મુક્યા નિર્દોષને ન્યાત બહાર ;
એનાં જ ઘરમાં દીકરા લાવે કોલણ કાં કુંભાર ;
          મોટાનાં  મન મૂઝાતા, 
          હિસાબો રોકડા થાતા. 
ખોટા ચોપડા ને ખોટા નામા, ખોટ ને ખોટ દેખાય, 
કાળાંબજારે તારવ્યો નફો, ટેકસવાળા તાણી જાય ;
          ઊપરથી  દંડ  ભરાતાં, 
          હિસાબો રોકડા થાતા. 
વિધવા દીકરી ખુણો પાળે ને બાપનાં લગન થાય ;
બાપની દેખતાં દીકરી આજે ફાવે તેને જાય ;
          વાવ્યું એના લેખ વંચાતા,
           હિસાબો   રોકડા  થાતા. 
પાનું પૂરું થાય નામાનું, હરિ કરે છે હિસાબ ;
વખત આવ્યે વંચાઇ જાશે, કરણી કેરો જવાબ ;
      ધરવો    ના    કોઈએ    ધોખો, 
      શ્યામળીયા નો ચોપડો ચોખ્ખો 



       { ફુલો વેરાણાં ચોક માં }

  ~ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~ 

      સંપાદક :- રાજુભાઈ ભટ્ટ 
             મો:-9824474306 




ખુરશી નો સ્વાદ લાગ્યો છે. { ફુલો વેરાણાં ચોક માં }

બધા છે એક ઘરના સભ્ય, પણ વિખવાદ જાગ્યો છે,
સાસુ ને વહુ પેઠે વગોણાનો નાદ જાગ્યો છે ;
તર્ક થી તપાસ્યું તેનું મને કારણ મળી આવ્યું,
બધાને માત્ર સતા, ખુરશી નો સ્વાદ લાગ્યો છે.

       { ફુલો વેરાણાં ચોક માં }

  ~ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

      સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
             મો:-9824474306

ચેતજો.... { ફુલો વેરાણાં ચોક માં }

મિત્રોરુપે સમીપમાં વૈરી ય વસતા હોય છે,
દુધ પાયાં તે બનીને સાપ ડસતા હોય છે ;
આવું બધું ચાલ્યાં કરે સમાજ માં, સંસાર માં,
હાથીની પાછળ ઘણાંએ શ્વાન ભળતાં હોય છે.

       { ફુલો વેરાણાં ચોક માં }

  ~ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

      સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
             મો:-9824474306

પ્રભુ મને એવા નયન તુઆપ....... ''ફુલો વેરાણા ચોક માં''

પ્રભુ મને એવા નયન તુ આપ.
નયને ગંગાજળ ઊભરાયે
          ધોવા પર નાં પાપ... પ્રભુ મને..
સત્યમ્ તુ છે, શિવમ્ તુ છે
           સુંન્દર તુંજ અમાપ;
તવ ચરણો નાં પુનિત દર્શને,
           ભૂલું જગ સંતાપ... પ્રભુ મને.
નયન દ્વાર થી પ્રભુ મૂર્તિ ની
            છાપું  અંતર  છાપ;
ધુપ સળી થઈ જીવન અર્પુ,
          પ્રભુ, હરજો પરિતાપ... પ્રભુ મને એવા.....

    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
       મો :-9824474306

કોઈનું જીવન બનું...... ''ફુલો વેરાણા ચોક માં''

અસ્તિત્વ મારુ ખોઈ ને, કોઈનું જીવન બનું;
ભુલી ગયા છે રાહ, તેના નિર્મળનયન બનું.

પાપો કદી થયાં તો સંકોચ રાખવો ના,
આવો તમારે કાજે ગંગા  વહન  બનુ.

ભવરણ મહીં ભટકતા, તેને વિસામો દેવા,
સત્યમ્ શિવમ્ જ્યાં મ્હેકે, સુંદર ચમન બનુ.

હડધુત કરી સમાજે, કચડ્યાં અને દુભાવ્યા;
એવા દલિત જનોનુ સ્વાગત સદન બનુ.

નહી હારમાં ગુંથાવું કે વેણી માં ગુંથાવું.
ચગદાઉં પ્રભુ ચરણે, એવુ સુમન બનું.

કોઈ ની કદી ન કરવી નિંદા અગર બુરાઈ,
સૌને દુ:ખે દુ:ખી થઈ સૌનો સ્વજન બનું.

  ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
        મો :-9824474306 

પ્રેમી થશો તો રોજ, દીવાના બનીને આવશુ, '' બંસરી મિઠાસ ભરી''

પ્રેમી થશો તો રોજ, દીવાના બનીને આવશુ,
દીલ ને દઝાડો તોય, પરવાના બનીને આવશુ.... પ્રેમી થશો

ધીક્કારશોકે બાળશો, રંજાડશો રીબાવશો,
પિસાઈ જવા રંગ હીનાના બનીને આવશુ.... પ્રેમી થશો

મૂખ ના હસતુ હશે, કે આંખડી ફિક્કી હશે,
મહેફીલ કરવા મસ્ત,મયખાના બની ન આવશુ.... પ્રેમી થશો

છે બળવાની ટેવ તો,પુરા અમોને બાળજો,
બળતા થવાને એક, મસ્તાના બનીને આવશુ.... પ્રેમી થશો

           '' બંસરી મિઠાસ ભરી''

      { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંપાદન :- રાજુભાઈ ભટ્ટ
                મો:-9824474306



મજા છે દુર રહેવા મા.... '' બંસરી મીઠાશ ભરી''

કહુ છુ પ્રેમિ ઓ ભોળા મજા છે દુર રહેવા મા
સમીપે સન્તાપોજાજા મજા છે દુર રહેવા મા

ઊગે આકાશે ભાનુ. કમળનુ મુખડુ મલકે
રવિ ને સ્પર્શ વા કરતા મજા છે દુર રહેવા મા

બજે જયા બિન મીઠૂ ત્યાં ન હરણી આવજે પાસે
વિંધાવુ બાણથી પડશે મજા છે દુર રહેવા મા

ચકોરી દુર થી  નાચે ન ઊડી  ચદ્ર નેભેટે
કલંકો દેખવા કરતા મજા છે દુર રહેવા મા

પતંગો ના કદી સમજે અગર સમજે તો કહી દેવુ
દિપક મા દાઝવા કરતા મજા છે દુર રહેવા મા

તજી ને ગોપી ઓ ઘેલી વસ્યા શ્રી કુષ્ણ દ્વારકા
પ્રભુએ પણ પીછાણ્યુ કે મજા છે દુર રહેવા મા 

કહુ છુ પ્રેમી ઓ ભોળા મજા છે દુર રહેવા મા
   

        '' બંસરી મીઠાશ ભરી''

{ ભક્ત કવી શ્રી ત્રાપજકર જી }

સંપાદન :- રાજુભાઈ ભટ્ટ
       મો:-9824474306

મારે સામે કિનારે જાવું...... ''ફુલો વેરાણા ચોક માં''

પ્રેમી જોગીડા જોળી લઈ લે જોગન હું બની જાઉં ,
મારે સામે કિનારે જાવું 
રામ બને તો શબરી થઈ ને એઠાં બોર ધરાવું .....મારે સામે કિનારે જાવું .
તનનો હું તબુર બનાવું નેહ નખલીએ ધૂન ગજાવું 
રોમ રોમ રણકાર ઊઠે ત્યાં અલખ નિરંજન ગાવું .......મારે સામે કિનારે જાવું 
જન્મારો મેં એળે ખોયો આ દુનિયા માં સાર ના જોયો 
 કૃષ્ણ ભરોસે ઝેર પીનારી મીરા હું બની જાઉં 
મારે સામે કિનારે જાવું પ્રેમી જોગીડા ..

    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
        મો:-9824474306



સત્યતા છોડીશ ના.... ''ફુલો વેરાણા ચોક માં''

સંકટો આવે ભલે, પણ સત્યતા છોડીશ ના,
તુ ખુમારી રાખજો, પણ નમ્રતા છોડીશ ના.

શુદ્ધ સોનુ હોય તેની તો કસોટી થાય છે.
છોડજે લઘળુ પરંતુ અસ્મીતા છોડીસ ના.

અસત્યો સામે સદાયે યુદ્ધ તો કરવાં પડે;
લેજે લડી ચારિત્ર્ય કેરી શુદ્ધતા છોડીશના.

પુષ્પ સામે પુષ્પ થા ને વજ્ર સામે વજ્ર થા;
વિપતિ ને વખતે ય તારી વીરતા છોડીશ ના.

હોય જવુ જો કિનારે, લે હલેસુ હાથ માં,
કાયર બની ને હામ કે તુ ધીરતા છોડીશ ના.

     ''ફુલો વેરાણા ચોક માં''

{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરજી }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
        મો:-9824474306




દેહયંત્ર ના ઘડનાર! "ફુલો વેરાણા ચોક માં''

દેહયંત્ર ના ઘડનાર! તુ બગડયુ યંત્ર સુધારી દે,
તું વિણ કોઈ ની શક્તિ નથી, તનમન ના રોગ નિવારી દે.

તેંજ ઘડયો છે દેહ પ્રભુ! તો જવાબદારી તારી છે,
સંકટ સમયે કરુ પ્રાર્થના, સર્વેશ્વર સ્વીકારી લે.

તારી દુવાથી આ દુનિયા માં કોઈ દવા અકસીર નથી,
ડુબી રહ્યો છું દુ:ખદરીયામાં, દુવા દઈ ઉગારી દે.

ઇચ્છા તારી હોય મને જો તુજ ચરણોમાં લેવા ની,
હાજર થા મુજ હાથ પકડવા, ભવસાગર થી તારી દે.

    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
        મો:-9824474306

મસ્ત છુ


હુ તો ઘવાયો છુ છતા મન ના કિનારે મસ્ત છુ
સંસાર ની આશા નિરાશાને મિનારે મસ્ત છુ

અશ્રુ પડે છે તોયે સંગીત સૂર તારે મસ્ત છુ
એક દિન આવીશ દ્વાર તારે એ વિચારે મસ્ત છુ

કંગાલ કિસ્મત હાથ લઈ ને ચાલનારો મસ્ત છુ
જવાળા ફૂંકીને દોષ દિલના બાળનારો
મસ્ત છુ

કોઈ નો નથી સહકાર પણ તારે સહારે મસ્ત છુ
એક દિન આવીશ દ્વાર તારે એ વિચારે મસ્ત છુ

મે મહેલ મા માણી લીધુ પણ ઝુપડી મા મસ્ત છુ
સોના રુપાના પાત્ર ને બદલે  તૂબંડી મા મસ્ત છુ

મે નાવ નુ સુકાન સોપ્યુ  હાથ તારે મસ્ત છુ
એક દિન આવીશ દ્વાર તારે એ વિચારે મસ્ત છુ

 

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
        મો:-9824474306

સાર નથી સમજાતો,''ફુલો વેરાણા ચોકમાં''

આંખે છે અંધારાં તેને સાર નથી સમજાતો,
            સાર નથી સમજાતો.

મેઘધનુષ્યે રંગ પુર્યા,જોઈ જોઈ હરખાતો;
તુજ ઘર કાજે કામ ન આવે રખે ઠગાઈ જાતો....... સાર નથી સમજાતો,

ખોટુ ત્રાજવુ ખોટા તોલા, ખોટો માલ તોળાતો;
બીજાને છેતરવા જાતાં, તુ પોતે છેતરાતો..... સાર નથી સમજાતો,

સરવાળા માં ભુલ પડે, મેળ નથી કાંઈ ખાતો,
વગર એકડે મીંડાં લખતાં, ભણતર ભુલી જાતો.... સાર નથી સમજાતો,

''ફુલો વેરાણા ચોકમાં''
     

{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરજી }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
     મો:-9824474306 

સમય ચાલ્યો જાય છે પણ યાદ મુકતો જાય છે,''ફુલો વેરાણા ચોક માં''

સમય ચાલ્યો જાય છે પણ યાદ મુકતો જાય છે,
જીવન સામે ઘણી યે ફરીયાદ મુકતો જાય છે.

આ જમાનાથી અમારો જમાનો સારો હતો,
વુદ્ધો યુવાનોમાં ઘણા વિવાદ મુકતો જાય છે.

સંસ્કાર તેમ જ સંસ્કુતિ વીત્યા સમય ની દેણ છે,
''ખોશો ન માનવતા તમે'' એ સાદ મુકતો જાય છે.

એ ચાંદની, એ સમર્પણ ને પ્રણયનાં એ સ્પંદનો,
સ્મૂતિરુપે માનવી ને સ્વાદ મુકતો જાય છે.

શહીદોનાં સ્મારકોને વિશ્વ પણ વંદન કરે,
વીરો ના બલિદાનની, એ દાદ મુકતો જાય છે.

    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
       મો:-9824474306





શ્રી કૃષ્ણ સ્તુતિ.... ''ફુલો વેરાણા ચોક માં''

          શ્રી કૃષ્ણ સ્તુતિ
યમુનાજળ  શામળ  ખળખળ  નિર્મળ  શશીકર ઝળહળ બિંબ ધરે ,
ધમધમ  ધમધમ ઘુંઘર નુપુર પદ  ઠમ ઠમ  રૂમજુમ  ફુંદડી   ફરે ;
ધીમીકતધાક્ત પટલ ઉલટસુલત લટ મયુર મુગટ દગ નિકટ નમે ,
જય મુરલીધર  ગિરધાર  નટનાગર  નટવર  ચરણે  શીશ   નામે .....  જય નટવર  ચરણે  શીશ   નામે ...

    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
       મો:-9824474306

Tuesday, 14 January 2020

दील नी दोलत में लुटावी आ जगतना चोकमा, ''फुलो वेराणा चोकमां''

दील नी दोलत में लुटावी आ जगतना चोकमा,
कदर कोईऐ ना करी, मुर्खो गणायो लोकमां.

पछी में संसार जोयो सत्यना दर्पण मदी,
स्वार्थ जोयो धणामां, मानवता जोई कोकमां.

संसार नो में सार शोधी लीधो छे तेथी ज हुं
जीवन जीव्यो ऐकसरखु हर्षमां के शोकमां.

पुष्पधन्वा स्पर्शतां हुं त्रिलोचन शंकर बनुं,
गंग धरु जटामा ने सर्प वींटुं डोकमां.

ना कोईनी निंदा करी के बुरु कोईनु ना कर्यु,
आटलो संतोष लईने जईश हु परलोकमां.

    
  ''फुलो वेराणा चोकमां''

{ भक्त कवि श्री त्रापजकर दादा }

संपादक :-राजुभाई भट्ट
         मो:-9824474306

''આતમવાણી'' જય ભવાની

તુંહી વાયુ ભુમિ તુંહી તેજ શાન્તિ,
તુંહી દિવ્ય શક્તિ તુંહી દિવ્ય કાન્તિ.
તુંહી અક્ષરાતીત  મૂર્તિ ક્ષમાની,
નમામિ મહાશક્તિ દેવી ભવાની.૧

અનંતા સ્વરુપા અજન્મા જનેતા,
અવિકાર  સાકાર  સૂષ્ટિ   પ્રસુતા;
મહારૌદ્ર તું કાળ વિકરાળ કાળી,
નમામિ  મહાકાળરુપી ભવાની.૨

કરે  શિવ  બહ્મા અને  વિષ્ણુ સેવા,
મહાયોગી ઓ સેવતા મુક્તિ લેવા;
તુંહી  પાપ ના  પુંજ ને  બાળનારી,
નમામિ મહાશક્તિ દેવી ભવાની.૩

અરણ્યે   રણે   યુદ્ધ   કેરા   પ્રસંગે,
બની  ઢાલ   તુહી   રહનારી  સંગે;
તુંહી  માત  વિધા  દયાવંત  દાની,
નમામિ  મહાકષ્ટહર્તા    ભવાની.૪

કરે ખડગ ને માત ખપ્પર ધર્યાં છે,
સદા ભક્ત નાં સંકટો  તે હર્યાં છે,
રણે  શુંભ   નિશુંભને   રોળનારી,
નમામિ મહાશક્તિ દેવી ભવાની.૫

બહુનામી  દેવી  તુંહી  વિક્ષ્વગામી,
ચિદાનંદ  શક્તિ તુંહી  પુણ્યધામી,
તુંહી  કષ્ટને  કાપજે  દાસ   માની,
નમામિ મહાશક્તિ દેવી ભવાની.૬

          ''આતમવાણી''

{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

સંપાદક :- રાજુભાઇ ભટ્ટ
        મો:-9824474306






મનલેખિની મોદ ધરી હસતી { આતમવાણી }

                  (૧)
અગાધકૃતિ અખિલેશ્વરની, મતિમાન મનુષ્ય વિસાત નથી ,

અહીં પાર નથી, આ અપારકૃતિ, મુનિરાજ મૂઆ દિનરાત મથી ;

પછી, સાયર સાતમાં બિંદુ પડે, કવિ તારી મતિતણી શી ગણતી!

લખિંતંગ કરે તુજ નામ લખી, મનલેખિની મોદ ધરી હસતી!
                 (૨)
કાગ! કવિતણો બોધ મળ્યો, પછી લોભીએ નોંધ કરી કલમે,

શાહી કાળીં અને કાગળ શ્વેત બગાડી દીધા દિલ જેમ ગમે!!

પછી, દાનમા લાખ લખ્યાં, ખરચ્યા નહી, મોત સવારી ફરી ધસતી,

મનના મનસૂબા રહ્યા મનમા મનલેખિની મોદ ધરી હસતી!

[ત્રાપજકર દાદા ના મુખેથી]
ભક્ત કવિ શ્રી દુલાભાઈ કાગ મારે ધેર આવેલા, અમે જુના ભાઈબંધ મળીયે ત્યારે હૈયું, આંખ અને કવિતા એકતાલે નાચી ઊઠે મેં પાદપૂર્તિ કવિ શ્રી કાગને આપી :- ''બાદલમેં આજ ચંદ્રરાજ ક્યૂ છુપાયો હૈ? કવિ શ્રી કાગે મને પાદપૂર્તિ નું ચરણ આપ્યું :- '' મનલેખિની મોદ ધરી હસતી '' બન્ને કવિઓએ પાંચજ મિનિટ માં લખી ને પુરી કરી.

          { આતમવાણી }

~ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

  સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
          મો:-9824474306 

ઊપકાર સહેવાતો નથી, ''ફુલો વેરાણા ચોક માં''

મારા ઊપર કોઈ એ કર્યો ઊપકાર સહેવાતો નથી,
બદલો ન વાળુ ત્યાં સુધી એ ભાર સહેવાતો નથી.

માનવી   ને  કોઈ  સાચા  માનવી મળતા નથી,
મળે છે, તેનો વિષમ વ્યવહાર સહેવાતો નથી.

સ્પર્શ કરતી જાય છે પણ ઘડી રોકાતી નથી,
કિનારા  થી  સરીતાનો  પ્યાર  સહેવાતો નથી.

યાદ પણ ઓજલ થઈ ને સ્નેહ ને સગપણ ગયુ,
પછી  મીઠા  શબ્દો  નો  સત્કાર સહેવાતો નથી.

શુ કહુ?  કહેવુ ધણુ પણ કહેવાથી લાભ શો?
દર્દ તો સહેવાય, મુગો માર સહેવાતો નથી.

માનવી નાં મન જુદાં, વચનો જુદાં, વર્તન જુદાં,
સાર વિના નો હવે સંસાર સહેવાતો નથી.

    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
       મો:-9824474306







શ્યામળા ને ભાવી લુખી ભાજી '' બંસરી મિઠાસ ભરી''

શ્યામળા ને ભાવી લુખી ભાજી

ભાવી લુખી ભાજી, રુદીયો ખાતા થઈ ગયો રાજી...............
         શ્યામળા ને ભાવી લુખી ભાજી

મોટા મહેલ થી ગરીબ ધર ની આંકી કિમત ઝાઝી
અમ્રુત ગણી નેઆરોગી વાલે , વિદુરે વિણેલ ભાજી...................
        શ્યામળા ને ભાવી લુખી ભાજી

દુર્યોધન  ના  દીલડા મા  ગવૅ  , રહયો તો ગાજી
ભાવ વગર ના ભોજન જોયા આવી ગઇ ઇતરાજી.......................
        શ્યામળા ને ભાવી લુખી ભાજી

મોટપ મળી ત્યા ખોઇ માનવતા , પ્રગટી પ્રપંચ બાજી
ઝુપડી મા વાલો જમવા બેઠો ત્યારે , લાખો ની મોલાત લાજી............
        શ્યામળા ને ભાવી લુખી ભાજી

લુખી રાબડી ભાજી પીરસ્યા  , ન કરશો નારાજી
વિદુરજી મને ખૂબ ભાવી , તારી ભવ ભરેલી ભાજી................
        શ્યામળા ને ભાવી લુખી ભાજી

           '' બંસરી મિઠાસ ભરી''

      { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંપાદન :- રાજુભાઈ ભટ્ટ
                 મો:-9824474306 

સંભારુ તને શ્યામળા '' બંસરી મિઠાસ ભરી''

વાલા મારી વસમી વેળાએ કરજે વારુરે;
સંભારુ તને શ્યામળા હો જી!
નહીતર જીવતર થાશે મારુ ખારુ રે;
સંભારુ તને શ્યામળા હો જી!... વાલા મારી

વનરા જગી છે વાલા!  તનડા તપે છે મારા;
મનડા બળે તે કયાં જઈ ઠારુ રે ?
સંભારુ તને શ્યામળા હો જી!... વાલા મારી

નરસૈયાને નોતી મુડી, હરી તેં શિકારી હુંડી;
ખોટ તારા ખાતે એમ ઊધારું રે.
સંભારુ તને શ્યામળા હો જી!... વાલા મારી

વાદળ ઘેરાણુ ઘેરું, ભાંગ્યાનો તું છે ભેરુ;
શોધી લીધુ શરણ મેં તારુ રે.
સંભારુ તને શ્યામળા હો જી!... વાલા મારી

           '' બંસરી મિઠાસ ભરી''

      { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંપાદન :- રાજુભાઈ ભટ્ટ
                મો:-9824474306

શબરી! મીઠાં લાગ્યાં બોર '' બંસરી મિઠાસ ભરી''

મીઠાં તારાં બોર,  શબરી! મીઠાં લાગ્યાં બોર;
તારી ભાવના અણમોલ, બાઈ! તારાં મીઠાં લાગ્યાં બોર.
શબરી કહે કેમ મીઠાં ન લાગે? મેં તો ચાખી મુક્યાં બોર,
અજીઠાં પણ ભક્તનાં અને ભક્ત મમ ચિત ચોર.
બાઈ!મીઠાં લાગ્યાં બોર.

બીજ સાથે પ્રભુ! ફળ આરોગો બીજ તોનાથ! કઠોર,
રામ કહે તારે મુખ અડયોં એનો, સ્વાદ લાગ્યો મને ઓર.
બાઈ!મીઠાં લાગ્યાં બોર.

વેદ ન જાણુ ભેદ ન જાણુ,  તિમિર ચારે કોર,
બોરમાં ચારે વેદ ભર્યો તેં તો સૌંપ્યો દિલનો દોર.
બાઈ!મીઠાં લાગ્યાં બોર.

ખાટા હોય તે પાછાં મુકજો, નાથ! કહુ કર જોડ,
શબરીની ગત જાણી હસિયા, ભક્ત ઘન મન મોર.
બાઈ!મીઠાં લાગ્યાં બોર.

બોર આરોગ્યાં ઞુણ ચડ્યું તારુ, કેમ થવાય નઠોર,
બુડવા નહીં દઉં બેડલી, કરુ જતન આઠે પોર.
બાઈ!મીઠાં લાગ્યાં બોર;

           '' બંસરી મિઠાસ ભરી''

      { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંપાદન :- રાજુભાઈ ભટ્ટ
                મો:-9824474306

સોંપી જવાબદારી. ''ફુલો વેરાણા ચોક માં''

આ સંસારે સરજન હારે સરજ્યા નર ને નારી,
             
         સોંપી જવાબદારી,

સપ્તપદી ના સાતે પગલા સમજી લો સંસારી,
            
           સોંપી જવાબદારી.
       
          નર છે નાવિક,  નારી નૈયા
          ભવસાગરનાં બેઉ તરૈયાં,

બેઉ પ્રવાસી જીવન નૈયાં દેજો પાર ઉતારી,

              સોંપી જવાબદારી,

           નર  દીપક  નારી  જ્યોતિ,
           હંસ સ્વભાવે ચરજો મોતી,

નરમાંથી નારાયણ ઘડવા ઘડી જગતમાં નારી,

               સોંપી જવાબદારી.

    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
       મો:-9824474306




નમાવી શીશ માગું છુ ''ફુલો વેરાણા ચોક માં''

નમાવી શીશ માગું છુ. પ્રભુની મહેરબાનીને,
દયા વરસાવતો રહે છે, દશા મારી પિછાની ને.

નથી પકવાન કે બત્રીશ ભોજન અમારા ઘરમાં,
ધરું છું તાંદુલો તો યે સ્વીકારે મીજબાનીને.

ઘડ્યું બહ્માંડ તેને ક્યાં કમીના કોઈ વાતે છે?
ધરું ફુલપાંખડી તે સ્વીકારે છે ભક્ત માનીને.

બન્યુદિલ મારુદ્વારીકા,હવે ગોકુળ નથીજાતો,
તને સોંપી દીઘી મારા હ્રદયની રાજધાનીને.

કિનારે પ્હોચવું તેની હવે ચિંતા નથી કરતો,
તરાવે કે ડુબાડે વાત સોપી છે સુકાનીને.

    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
       મો:-9824474306 

તુ જીત્યો ને હુ હાર્યો રામ કહે, ''આતમવાણી''

તુ જીત્યો ને હુ હાર્યો રામ કહે,
મે ભલેને તમને માર્યો રાવણ! આજ
                        તુ જીત્યો ને હુ હાર્યો

ભકત બની ને ભીખ ન માંગી, વેર નો પંથ વિચાર્યો,
મરતી વખતે તારા મોઢે થીરામનો શબ્દ ઊચ્ચાર્યો.... રાવણ! આજ તુ જીત્યો ને હુ હાર્યો

મામા મારીચને મુક્તી આપવા શીંગડીયે  શણગાર્યો
સીતાહરણ નુ બ્હાનુ કરી ને વૈરનેઝગડો વધાર્યો.... રાવણ! આજ તુ જીત્યો ને હુ હાર્યો

ચોરે ને ચોટે રાજદરબારે મને લંકામા લલકાર્યો,
સ્વપ્નામા રામ સંભારીતારો સ્વારથ સઘળો સુધાર્યો.... રાવણ! આજ તુ જીત્યો ને હુ હાર્યો

પાજ બંધાવી પથ્થર તર્યા,મારા નામ નો મહીમા વધાર્યો,
માથુ નમાવી માળા ન લીધી,મને પડમાં આવી પડકાર્યો... રાવણ! આજ તુ જીત્યો ને હુ હાર્યો

બાંધવ રુઠ્યો લંકાને બાળી, તારા સુત નેપણ સંહાર્યો
મંદોદરી એ ખુબ મનાવ્યો તોયે વાત મા રહ્યો નહી વાર્યો...રાવણ! આજ તુ જીત્યો ને હુ હાર્યો

દુનીયા એ મારો દુશ્મન માન્યો,આજ ઓળખાણો અણધાર્યો,
અંત સમયે મને સન્મુખ રાખી,તારા ત્રાપાનેપાર ઊતાર્યો... રાવણ! આજ તુ જીત્યો ને હુ હાર્યો

             ''આતમવાણી''

      { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંપાદન :- રાજુભાઈ ભટ્ટ
                 મો:-9824474306 

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...