સમય ચાલ્યો જાય છે પણ યાદ મુકતો જાય છે,
જીવન સામે ઘણી યે ફરીયાદ મુકતો જાય છે.
આ જમાનાથી અમારો જમાનો સારો હતો,
વુદ્ધો યુવાનોમાં ઘણા વિવાદ મુકતો જાય છે.
સંસ્કાર તેમ જ સંસ્કુતિ વીત્યા સમય ની દેણ છે,
''ખોશો ન માનવતા તમે'' એ સાદ મુકતો જાય છે.
એ ચાંદની, એ સમર્પણ ને પ્રણયનાં એ સ્પંદનો,
સ્મૂતિરુપે માનવી ને સ્વાદ મુકતો જાય છે.
શહીદોનાં સ્મારકોને વિશ્વ પણ વંદન કરે,
વીરો ના બલિદાનની, એ દાદ મુકતો જાય છે.
''ફુલો વેરાણા ચોક માં''
{ભકત કવિ શ્રી ત્રાપજકર દાદા }
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment