યુગને આધીન થાશો,
ઝીણી વાતું સમજી જાશો,
ઋષિકુળે જન્મી લીધાં, તપ, વિધા ને ત્યાગ ;
ભૂદેવ કેરું બિરુદ પામ્યા, વસમો લઈ વૈરાગ્ય ;
સમાજ ના સેવક થાશો,
બ્રાહ્મણ તમે તો જ પૂજાશો.
ચૌદ વરસ જેણે વનમાં વેઠયાં, પિતા વચનને કાજ;
ટેક, નેક, સત્ય, દયા ને નિતિ, રામે ચલાવ્યુ રાજ્ય ;
ક્ષત્રિય થાજો રામની જેવા,
પ્રજા ની કરજો સેવા.
વૈશ્ય તો સાચો શગાળશા, જેણે દીંધા પુત્ર ના દાન ;
સાચું બોલે, જુઠ ન તોળે, પત કાજે દે પ્રાણ ;
વાણિયા વહેવારુ થાજો,
નીતિ નુ નાણું કમાજો.
પશુપંખીએ ન્યાત રચીને, કર્યો નથી મતભેદ ;
ન્યાતના વાડા ને વાદના વાડા, ખરેખરો છે ખેદ ;
માનવ! માનવતા રાખો,
જ્ઞાતીભેદ દરિયે નાખો.
{ ફુલો વેરાણાં ચોક માં }
~ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment