સંત વંદના
સંત થવું સહેલું નથી ,કોઈક જ સાચાસંત।,
સંતરામ મંદિરે , મેં દીઠા ભગવંત ,
દર્શન થી વિસરાય છે દુઃખ કલેશ ને શોક ,
નારાયણ ચરણે નમે ,નીશદીન લાખો લોક .
દ્રષ્ટિ માં ગંગા વહે , ચરણે તીરથ વાસ ,
ભવતારક છે ભક્ત ના નમું નારાયણદાસ ,
સંતરામના મંદિરે ,પ્રગટયો પરમ પ્રકાશ ,
માનવતા ની મૂર્તિ છે નમું નારાયણદાસ ,
ભીડ ભાંગવા ભક્ત ની ,લીધો છે અવતાર ,
તરાપો ત્રાપજકર તણો ઉતારજો ભવ પાર
''ફુલો વેરાણા ચોક માં''
{ભકત કવિ શ્રી ત્રાપજકર દાદા }
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો :- 9824474306
No comments:
Post a Comment