Wednesday, 15 January 2020

પ્રભુ મને એવા નયન તુઆપ....... ''ફુલો વેરાણા ચોક માં''

પ્રભુ મને એવા નયન તુ આપ.
નયને ગંગાજળ ઊભરાયે
          ધોવા પર નાં પાપ... પ્રભુ મને..
સત્યમ્ તુ છે, શિવમ્ તુ છે
           સુંન્દર તુંજ અમાપ;
તવ ચરણો નાં પુનિત દર્શને,
           ભૂલું જગ સંતાપ... પ્રભુ મને.
નયન દ્વાર થી પ્રભુ મૂર્તિ ની
            છાપું  અંતર  છાપ;
ધુપ સળી થઈ જીવન અર્પુ,
          પ્રભુ, હરજો પરિતાપ... પ્રભુ મને એવા.....

    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
       મો :-9824474306

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...