હરી હવે લ્યો સુદર્શન હાથ
એક દુશાસન સંહાર્યો , પણ અનેક જનમ્યા આજ
અનેક દ્રોપદી ની લુટાતી , ધોળે દિવસે લાજ
સત્ય, ધર્મ, નીતી, ન્યાય માનવતા પાંચેય ને વનવાસ
માંધાતા થઈ ફરતા આજે દુર્યોધન ના દાસ
ભ્રષ્ટાચાર બધે ફેલાયો , તેનો છે આધાત
પોષક થઈને શોષક બનતા, કોણ સાભંળે વાત
લોકશાહી નુ રામ રાજ્ય તે નજરે નહી જોવાત
ગાંધીજી જો હોત જીવતા તો સ્વયમ કરત આપઘાત
ગોવિંદે ગીતા મા કીધુ થશે ધર્મ નો ઘાત
જગત ઉપર હુ જન્મ ધરી ને અટકાવીશ વીનીપાત
એ વચન પાળજો નાથ
હરી હવે લ્યો સુદર્શન હાથ
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }
સંપાદક :- રાજુભાઇ ભટ્ટ
No comments:
Post a Comment