Wednesday, 15 January 2020

બાણ કાં મારો? ''આતમવાણી''

                 ગઝલ
સહન કરનાર ને કડવાં વચનનાં બાણ કાં મારો?
હ્રદયને ડંખ દે એવા વચનનાં બાણ કાં મારો?

અમારી ભુલ દેખો તો ભલે ગરદન તમે કાપો;
વગર વાંકે છતાં અમને વચનનાં બાણ કાં મારો?

ભલાઈ છે અમારી ત્યા બુરાઈ વાપરો છો કાં?
ન ભુલાતાં ન ભુંસાતાં, વચનનાં બાણ કાં મારો?

વીતાવિશુ જીવન તોયે, વચન કડવા ન વીસરાશે;
પ્રીતી માં વીષ પાનારા વચનનાં બાણ કાં મારો?

રૂઝાશે દેહ ના દાવો, ન દીલના છે રૂઝાવાના;
અમારા પ્રીય જન થયને વચનનાં બાણ કાં મારો?

કટુ વચને સદા જગમાં  વિરોધા ભાસ વધવાનો;
જીવન થઈ જાય છે જુદા વચનનાં બાણ કાં મારો?


            ''આતમવાણી''

   { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

    સંકલન :- રાજુભાઇ ભટ્ટ
          મો:-9824474306



No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...