ગઝલ
સહન કરનાર ને કડવાં વચનનાં બાણ કાં મારો?
હ્રદયને ડંખ દે એવા વચનનાં બાણ કાં મારો?
અમારી ભુલ દેખો તો ભલે ગરદન તમે કાપો;
વગર વાંકે છતાં અમને વચનનાં બાણ કાં મારો?
ભલાઈ છે અમારી ત્યા બુરાઈ વાપરો છો કાં?
ન ભુલાતાં ન ભુંસાતાં, વચનનાં બાણ કાં મારો?
વીતાવિશુ જીવન તોયે, વચન કડવા ન વીસરાશે;
પ્રીતી માં વીષ પાનારા વચનનાં બાણ કાં મારો?
રૂઝાશે દેહ ના દાવો, ન દીલના છે રૂઝાવાના;
અમારા પ્રીય જન થયને વચનનાં બાણ કાં મારો?
કટુ વચને સદા જગમાં વિરોધા ભાસ વધવાનો;
જીવન થઈ જાય છે જુદા વચનનાં બાણ કાં મારો?
''આતમવાણી''
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }
સંકલન :- રાજુભાઇ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment