નમાવી શીશ માગું છુ. પ્રભુની મહેરબાનીને,
દયા વરસાવતો રહે છે, દશા મારી પિછાની ને.
નથી પકવાન કે બત્રીશ ભોજન અમારા ઘરમાં,
ધરું છું તાંદુલો તો યે સ્વીકારે મીજબાનીને.
ઘડ્યું બહ્માંડ તેને ક્યાં કમીના કોઈ વાતે છે?
ધરું ફુલપાંખડી તે સ્વીકારે છે ભક્ત માનીને.
બન્યુદિલ મારુદ્વારીકા,હવે ગોકુળ નથીજાતો,
તને સોંપી દીઘી મારા હ્રદયની રાજધાનીને.
કિનારે પ્હોચવું તેની હવે ચિંતા નથી કરતો,
તરાવે કે ડુબાડે વાત સોપી છે સુકાનીને.
''ફુલો વેરાણા ચોક માં''
{ભકત કવિ શ્રી ત્રાપજકર દાદા }
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment