અસ્તિત્વ મારુ ખોઈ ને, કોઈનું જીવન બનું;
ભુલી ગયા છે રાહ, તેના નિર્મળનયન બનું.
પાપો કદી થયાં તો સંકોચ રાખવો ના,
આવો તમારે કાજે ગંગા વહન બનુ.
ભવરણ મહીં ભટકતા, તેને વિસામો દેવા,
સત્યમ્ શિવમ્ જ્યાં મ્હેકે, સુંદર ચમન બનુ.
હડધુત કરી સમાજે, કચડ્યાં અને દુભાવ્યા;
એવા દલિત જનોનુ સ્વાગત સદન બનુ.
નહી હારમાં ગુંથાવું કે વેણી માં ગુંથાવું.
ચગદાઉં પ્રભુ ચરણે, એવુ સુમન બનું.
કોઈ ની કદી ન કરવી નિંદા અગર બુરાઈ,
સૌને દુ:ખે દુ:ખી થઈ સૌનો સ્વજન બનું.
''ફુલો વેરાણા ચોક માં''
{ભકત કવિ શ્રી ત્રાપજકર દાદા }
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો :-9824474306
No comments:
Post a Comment