Wednesday, 15 January 2020

માનવતા ખોવાય નહી.... { આતમવાણી }

  ધન ખોયુ પાછુ મળશે, પણ માનવતા ખોવાય નહી.
દર્જનતા કોઈની દેખીને, સજ્જનતા ખોવાય નહી.
         સાગર મોટો સરીતા નાની,
         ગાગર વાત કહે  છે  છાની,
સરીતા છોડી સાગરનાં કંઈ ખારાં જળ પિવાય નહી.
        સ્વાર્થમહીં  દુનીયા બુડી,
        છે  માનવતા સાચી મુડી,
ચંદ્ર ચમકતો દેખીને ઘરદીવડીયા ઓલવાય નહી.

            {  આતમવાણી }

  ~ ભક્ત કવી શ્રી ત્રાપજકર દાદા ~

   સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
          મો.:- 9824474306

         

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...