ધાર્યુ કોઈ નુ ના થાય , ભલે કરો લાખ કરોડ ઉપાય......મનવા
વશિષ્ઠ જેવા ગુરુ ના હાથે , ગાદી ના જોશ જોવાય
એજ ચોધડીયે રામ સીતા ને લક્ષ્મણ વન મા જાય......મનવા
રાવણે ધાર્યુ કરુ નીસરણી , જીવતા સરગે જવાય ,
અમ્રૂત કુંપો કાળજે રાખ્યો તોય રામ ને હાથે રોળાય......મનવા
લાક્ષાગ્રૂહ મા આગ લગાડુ તો , પાંડવ શ્સૌ પતી જાય
દુર્યોધન ના મનસુબા એ રહી ગયા મનમાંય........મનવા
મનવાધટ મા માનવ ધાટ ધડે ત્યારે
ધડનારો મલકાય
આશા ના દરીયે દોટ મુકે પણ ધાર્યુ ધણી નુ થાય......મનવા
'' બંસરી મિઠાસ ભરી''
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }
સંપાદન :- રાજુભાઈ ભટ્ટ
No comments:
Post a Comment