મનખ્યા જનમ તો જોય લીધાં હવે,
એવો જનમ મને આપો ;
જાદવરાય! એવો જનમ મને આપો ..રે જી...
વડલો થઇ ને વાયરો ઢોળુ, તનડે ઝીલુ બધા તાપો ...રે ...જી...
સુખડ થઇ ને આપુ સુગંધી, કાયા ભલે કોઈ કાપો... જાદવરાય! એવો જનમ .
બવળા બાજરાના ડુંડાબનું હું, ખેતર નો ન બનુ ખાપો રે ...જી
માપ તો મારું માંહ્યલો માપશે, મણે તોળી ને ભલે માપો ... જાદવરાય! એવો જનમ.
રાજદરબારે દરવાજો થવું નથી, ઝુંપડીનો બનુ ઝાંપો રે ...જી..
કપુર થઇ ને કાયાને બાળુ , ચિનગારી ભલે ચાપો ... જાદવરાય! એવો જનમ.
પુણ્ય બનીને આંસુડે ધોવા છે પરના મારે પાપો રે ....જી...
વાસ બની ને કોઈનાં માટે તરવા નો બનુ ત્રાપો ... જાદવરાય! એવો જનમ.
{ આતમવાણી }
~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~
સંપાદક :- રાજુભાઈ બી. ભટ્ટ
મો:- 9824474306
No comments:
Post a Comment