દેહયંત્ર ના ઘડનાર! તુ બગડયુ યંત્ર સુધારી દે,
તું વિણ કોઈ ની શક્તિ નથી, તનમન ના રોગ નિવારી દે.
તેંજ ઘડયો છે દેહ પ્રભુ! તો જવાબદારી તારી છે,
સંકટ સમયે કરુ પ્રાર્થના, સર્વેશ્વર સ્વીકારી લે.
તારી દુવાથી આ દુનિયા માં કોઈ દવા અકસીર નથી,
ડુબી રહ્યો છું દુ:ખદરીયામાં, દુવા દઈ ઉગારી દે.
ઇચ્છા તારી હોય મને જો તુજ ચરણોમાં લેવા ની,
હાજર થા મુજ હાથ પકડવા, ભવસાગર થી તારી દે.
''ફુલો વેરાણા ચોક માં''
{ભકત કવિ શ્રી ત્રાપજકર દાદા }
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment