Tuesday, 14 January 2020

તુ જીત્યો ને હુ હાર્યો રામ કહે, ''આતમવાણી''

તુ જીત્યો ને હુ હાર્યો રામ કહે,
મે ભલેને તમને માર્યો રાવણ! આજ
                        તુ જીત્યો ને હુ હાર્યો

ભકત બની ને ભીખ ન માંગી, વેર નો પંથ વિચાર્યો,
મરતી વખતે તારા મોઢે થીરામનો શબ્દ ઊચ્ચાર્યો.... રાવણ! આજ તુ જીત્યો ને હુ હાર્યો

મામા મારીચને મુક્તી આપવા શીંગડીયે  શણગાર્યો
સીતાહરણ નુ બ્હાનુ કરી ને વૈરનેઝગડો વધાર્યો.... રાવણ! આજ તુ જીત્યો ને હુ હાર્યો

ચોરે ને ચોટે રાજદરબારે મને લંકામા લલકાર્યો,
સ્વપ્નામા રામ સંભારીતારો સ્વારથ સઘળો સુધાર્યો.... રાવણ! આજ તુ જીત્યો ને હુ હાર્યો

પાજ બંધાવી પથ્થર તર્યા,મારા નામ નો મહીમા વધાર્યો,
માથુ નમાવી માળા ન લીધી,મને પડમાં આવી પડકાર્યો... રાવણ! આજ તુ જીત્યો ને હુ હાર્યો

બાંધવ રુઠ્યો લંકાને બાળી, તારા સુત નેપણ સંહાર્યો
મંદોદરી એ ખુબ મનાવ્યો તોયે વાત મા રહ્યો નહી વાર્યો...રાવણ! આજ તુ જીત્યો ને હુ હાર્યો

દુનીયા એ મારો દુશ્મન માન્યો,આજ ઓળખાણો અણધાર્યો,
અંત સમયે મને સન્મુખ રાખી,તારા ત્રાપાનેપાર ઊતાર્યો... રાવણ! આજ તુ જીત્યો ને હુ હાર્યો

             ''આતમવાણી''

      { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંપાદન :- રાજુભાઈ ભટ્ટ
                 મો:-9824474306 

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...