મારા ઊપર કોઈ એ કર્યો ઊપકાર સહેવાતો નથી,
બદલો ન વાળુ ત્યાં સુધી એ ભાર સહેવાતો નથી.
માનવી ને કોઈ સાચા માનવી મળતા નથી,
મળે છે, તેનો વિષમ વ્યવહાર સહેવાતો નથી.
સ્પર્શ કરતી જાય છે પણ ઘડી રોકાતી નથી,
કિનારા થી સરીતાનો પ્યાર સહેવાતો નથી.
યાદ પણ ઓજલ થઈ ને સ્નેહ ને સગપણ ગયુ,
પછી મીઠા શબ્દો નો સત્કાર સહેવાતો નથી.
શુ કહુ? કહેવુ ધણુ પણ કહેવાથી લાભ શો?
દર્દ તો સહેવાય, મુગો માર સહેવાતો નથી.
માનવી નાં મન જુદાં, વચનો જુદાં, વર્તન જુદાં,
સાર વિના નો હવે સંસાર સહેવાતો નથી.
''ફુલો વેરાણા ચોક માં''
{ભકત કવિ શ્રી ત્રાપજકર દાદા }
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment