Wednesday, 15 January 2020

સરીતા! આપ મને તુ જવાબ....{ ફુલો વેરાણા ચોક મા }

સરીતા! આપ મને તુ જવાબ કે,
                 શાને સાગર ઘેર ગઈ?
મીઠડાં તારા જળ હતા તુ શુકામ ખારી થઈ?  .....સરીતા!

કવિ! મારે સાગર થવુ'તુ,
સાગર થી હુ જુદીપડી મારું મન મુંઝાતું ' તું  ,
               કવિ! મારું મન મુંઝાતુ ' તું
                                       .....સરીતા!

સાગર માથી વરાળ થઈ ને વાદળી હુતો થઈ,
વિયોગ લાગ્યો વસમો તેથી વ્હાલ થી વરસી ગઈ,
                નદી મટી સાગર થવુ ' તુ.
વિશ્વ કિનારે એકતાનુ મારે ગીતડુ ગાવુ ' તુ ......સરીતા!

         { ફુલો વેરાણા ચોક મા }

    ~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~

    સંપાદક :-  રાજુભાઈ બી. ભટ્ટ
            મો:- 9824474306

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...