Thursday, 16 January 2020

નયનદ્વાર જ્યાં બંધ થયાં ત્યાં આંતર જ્યોત જાગી...''ફુલો વેરાણા ચોક માં''

નયનદ્વાર જ્યાં બંધ થયાં ત્યાં
           આંતર જ્યોત જાગી,

એ જ્યોતિ ના અજબ પ્રકાશે, 
          દુનિયા કડવી લાગી...નયન..

કોઈ ઘવાયા, કોઈ દુભાયાં,

હર્ષ શોક ના રંગ  છવાયા;

એવી જગની માયા મેં તો, 
       નયને જોઈ ત્યાગી...નયન..

મનમાં મનની મૂર્તિ બનાવુ, 

મનમાં  મારુ  સ્વર્ગ રચાવુ ;

આ દુનિયા થી મનની દૂનિયા, 
          મનને મીઠી લાગી...નયન..



    ''ફુલો વેરાણા ચોક માં''

{ભકત  કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...