નયનદ્વાર જ્યાં બંધ થયાં ત્યાં
આંતર જ્યોત જાગી,
એ જ્યોતિ ના અજબ પ્રકાશે,
દુનિયા કડવી લાગી...નયન..
કોઈ ઘવાયા, કોઈ દુભાયાં,
હર્ષ શોક ના રંગ છવાયા;
એવી જગની માયા મેં તો,
નયને જોઈ ત્યાગી...નયન..
મનમાં મનની મૂર્તિ બનાવુ,
મનમાં મારુ સ્વર્ગ રચાવુ ;
આ દુનિયા થી મનની દૂનિયા,
મનને મીઠી લાગી...નયન..
''ફુલો વેરાણા ચોક માં''
{ભકત કવિ શ્રી ત્રાપજકર દાદા }
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
No comments:
Post a Comment