કારણ વગર નકામી,તકરાર કા કરો છો ?
અમને તમારા દિલથી હદપાર કા કરો છો
જ્યા દેહ અને દિલ એક થઈ ગયા છે,
ત્યાં રાખવા જુદાઈ વિચાર કા કરો છો
કોમળ તમારુ દિલ છે ને પુષ્પ સમી કાયા
તેમા કઠોરતા ને સાકાર કા કરો છો
નમણા તમારા નયનો ત્યા હુ જ પુરાયો છુ
તો પાંપણો ઢાળી અંધાર કા કરો છો
ચાહે તે કરો શિક્ષા, પણ મૌન રાખશો ના
જે છે તમારો તેને લાચાર કા કરો છો?
{ ફુલો વેરાણા ચોક મા }
~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~
સંપાદક :- રાજુભાઈ બી. ભટ્ટ
મો:- 9824474306
No comments:
Post a Comment