Wednesday, 15 January 2020

સત્યતા છોડીશ ના.... ''ફુલો વેરાણા ચોક માં''

સંકટો આવે ભલે, પણ સત્યતા છોડીશ ના,
તુ ખુમારી રાખજો, પણ નમ્રતા છોડીશ ના.

શુદ્ધ સોનુ હોય તેની તો કસોટી થાય છે.
છોડજે લઘળુ પરંતુ અસ્મીતા છોડીસ ના.

અસત્યો સામે સદાયે યુદ્ધ તો કરવાં પડે;
લેજે લડી ચારિત્ર્ય કેરી શુદ્ધતા છોડીશના.

પુષ્પ સામે પુષ્પ થા ને વજ્ર સામે વજ્ર થા;
વિપતિ ને વખતે ય તારી વીરતા છોડીશ ના.

હોય જવુ જો કિનારે, લે હલેસુ હાથ માં,
કાયર બની ને હામ કે તુ ધીરતા છોડીશ ના.

     ''ફુલો વેરાણા ચોક માં''

{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરજી }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
        મો:-9824474306




No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...