દેશ પર આવે જો આફત રાષ્ટ્રવીર થાજો તમે,
કોઈની નિંદા સુણો ત્યારે બધીર થજો તમે.
ગ્રીષ્મ નો તડકો ભલે ને હસી ને વેઠ્યા કરો,
કોઈ તપતા હોઈત્યા શીતળ સમીર થજો તમે.
ચડતા દિવસ જોઈ કોઈ ભુખ્યો આવે આંગણે,
ભૂખ્યા રહી ખવડાવજો એવા અમીર થાજો તમે.
નાક અને શાખ માટે ફના પણ થઈ જાવ તો,
ફિકર ને ઘોળી પીતા એવા ફકિર થાજો તમે.
વતન માટે જે વીરો ખાંભી બની ખોડાય છે,
એ મરજીવા છે માનવી, એનુ ખમીર થાજો તમે.
ભજન કરતા રામ નુ જો રામ તમને ના મળે,
તો ધીરજ રાખી શબરી જેવા સુધીર થાજો તમે.
{ ફુલો વેરાણા ચોક મા }
~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~
સંપાદક :- રાજુભાઈ બી. ભટ્ટ
મો:- 9824474306
No comments:
Post a Comment