(૧)
અનુકૂળતા ને તમે સુખ મા નો,
પ્રતિકુળતાને તમે દુ:ખ માનો;
સુખો ને દુ:ખોની આ વ્યાખ્યા તમારી,
તમારાથી જુદી છે વ્યાખ્યા અમારી.
(૨)
તમે તો સદા ભોગમાં સુખ માન્યાં,
અમે તો સદા ભોગમાં દુ:ખ માન્યાં,
તમે તો સદા રાગમાં સુખ માન્યાં,
અમે સ્વાર્થના ત્યાગમાં સુખ માન્યાં.
(૩)
ન સતા મહતા, ન કિર્તિ ન માયા,
ન પુત્રો કલત્રો, ન મિત્રો ન માયા,
ન ભ્રાતા ન પિતા, ન બેની બનોઈ,
તમારા ગણો પણ તમારુ ન કોઈ.
(૪)
નથી સ્થીર વર્ષા, નથી સ્થીર વૃષ્ટિ,
નથી સ્થીર દ્રષ્ટિ, નથી સ્થીર સૃષ્ટિ,
સદા સ્થીર સત્યમ્, વદો મંત્ર સોહમ્,
રટો આત્માથી શિવોહમ્ શિવોહમ્.
(૫)
મળે તો જ શાન્તિ, મળે તો જ સુખો,
ગળે ગર્વ મિથ્યા , ટળે સર્વ દુ:ખો;
જીવો જો હમેશા, પ્રભુ ને સહારે,
તરી ને જશે નાવ સામે કિનારે.
{ ફુલો વેરાણા ચોક મા }
~ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~
સંપાદક :- રાજુભાઈ બી. ભટ્ટ
મો:- 9824474306
No comments:
Post a Comment