(૧)
અગાધકૃતિ અખિલેશ્વરની, મતિમાન મનુષ્ય વિસાત નથી ,
અહીં પાર નથી, આ અપારકૃતિ, મુનિરાજ મૂઆ દિનરાત મથી ;
પછી, સાયર સાતમાં બિંદુ પડે, કવિ તારી મતિતણી શી ગણતી!
લખિંતંગ કરે તુજ નામ લખી, મનલેખિની મોદ ધરી હસતી!
(૨)
કાગ! કવિતણો બોધ મળ્યો, પછી લોભીએ નોંધ કરી કલમે,
શાહી કાળીં અને કાગળ શ્વેત બગાડી દીધા દિલ જેમ ગમે!!
પછી, દાનમા લાખ લખ્યાં, ખરચ્યા નહી, મોત સવારી ફરી ધસતી,
મનના મનસૂબા રહ્યા મનમા મનલેખિની મોદ ધરી હસતી!
[ત્રાપજકર દાદા ના મુખેથી]
ભક્ત કવિ શ્રી દુલાભાઈ કાગ મારે ધેર આવેલા, અમે જુના ભાઈબંધ મળીયે ત્યારે હૈયું, આંખ અને કવિતા એકતાલે નાચી ઊઠે મેં પાદપૂર્તિ કવિ શ્રી કાગને આપી :- ''બાદલમેં આજ ચંદ્રરાજ ક્યૂ છુપાયો હૈ? કવિ શ્રી કાગે મને પાદપૂર્તિ નું ચરણ આપ્યું :- '' મનલેખિની મોદ ધરી હસતી '' બન્ને કવિઓએ પાંચજ મિનિટ માં લખી ને પુરી કરી.
{ આતમવાણી }
~ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment