ધ્નય સોરઠની ધરણીછે રતનોનીજાયા,
એ માએ પ્રગટીયો અંનત દીવડો,
રત્નજ્યોત દીવડો (2)
માત ભારતના મન્દિરિયે જનતા ના આતમની
આરતી ઊકારે અખંડ દીવડો,
રત્નજ્યોત દીવડો (2)
જુગ જુગનો જોગંધર દેહે થી દુબળો
એણે સપ્તરંગ પુરી પ્રગટાવ્યો છે દીવડો,
કોટીચાળીશ જનતાના હૈયાનીએ ચેતનાને,
જગવી બેઠો અનંત દીવડો,
રત્નજ્યોત દીવડો (2)
ઘોર વાદળ ઘેરાશે કે તાંડવ ખેલાશે,
કાળ વાયુ ની ફુકે ના દીવડો બુજાશે,
અમીરી કે ગરીબીના અંતરને ભેદીને,
ઝુપડીએ બળે અખંડ દીવડો,
રત્નજ્યોત દીવડો (2)
સત્યને અહીંસાને,શાન્તીને સિદ્ધીનાં,
માનવતા ધર્મ આત્મભાવનાની વ્રુદ્ધીના,
અંજવાળા પાથરીને ભારત મૈયાને,
અંજવાળી રહ્યો અખંડ દીવડો,
રત્નજ્યોત દીવડો (2)
ધ્નય સોરઠની ધરણીછે રતનોનીજાયા,
એ માએ પ્રગટીયો અંનત દીવડો,
રત્નજ્યોત દીવડો (2)
''આતમવાણી''
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }
સંકલન :- રાજુભાઇ ભટ્ટ
મો :- 9824474306
No comments:
Post a Comment