માડી તારા બેટડા આવે છે,
ચડ્યા ઋણ વાળવા આવે છે
સાબરમતીના શુભ કિનારે એક બેઠો સંત,
હડના ખોખે હાકલુ દીધી આણ્યો ગુલામીનો અંત,
એ સંતના સેવકો આવે છે ....માડી તારા..
ના કર સત્યાગ્રહ મીઠાના આરંભણા યુદ્ધ,
તે દી લીલા માથડા મૂકી તારા દિપાવ્યા દૂધ,
શુરા રણઘેલાડા આવે છે.... માડી તારા.. એ જ સાબરમતી એજ કિનારો નિર્મળ જળ ગંભીર,
એ જ તીરે માડીના મૂંઘા બાંધવાને મંદિર,
માનવતાના શિલ્પી આવે છે ...માડી તારા..
ભક્ત નરસૈયો,અખો, નર્મદ, દલપત ,પ્રેમાનંદ, સંત જલારામ, ભક્ત બોડાણો મોહન દયાનંદ,
સંસ્કૃતિનું વારસો આવે છે ...માડી તારા..
સત્ય અહિંસા તપ માનવતા ગાંધીજી ના સિદ્ધાંત,
ઝુપડી મહેલના ભેદ ભુસાશે વંદુ તને ગુજરાત,
સર્વોદય સાધકો આવે છે...માડી તારા ..
{ મુંબઈ રાજ્યનું વિભાજન થયું તે સમયે ગુજરાત રાજ્યનું નિર્માણ કરવા સ્વ. જીવરાજભાઇ મહેતા શ્રી બાબુભાઇ જ.પટેલ સ્વ. રસિકભાઈ પરીખ શ્રી રતુભાઇ અદાણી વગેરેનું વિદાય સમારંભ તારીખ:-૨૬/૪/૧૯૬૦ ના શુભદિને એને મુંબઈમાં રંગ ભવનમાં યોજાયો હતો તે પ્રસંગે ગાયેલું કાવ્ય }
ફુલો વેરાણા ચોકમાં
ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306