Tuesday, 8 October 2019

* મા ગુર્જરીને * ફુલો વેરાણા ચોકમાં

માડી  તારા  બેટડા  આવે  છે,
ચડ્યા  ઋણ વાળવા આવે છે
સાબરમતીના શુભ કિનારે એક બેઠો સંત,
હડના ખોખે હાકલુ દીધી આણ્યો ગુલામીનો અંત,
       એ સંતના સેવકો આવે છે ....માડી તારા..
ના કર સત્યાગ્રહ મીઠાના આરંભણા  યુદ્ધ,
તે દી લીલા માથડા મૂકી તારા દિપાવ્યા દૂધ,
         શુરા રણઘેલાડા આવે છે.... માડી તારા.. એ જ સાબરમતી એજ કિનારો નિર્મળ જળ ગંભીર,
એ જ તીરે માડીના મૂંઘા બાંધવાને મંદિર,
      માનવતાના શિલ્પી આવે છે ...માડી તારા..
ભક્ત નરસૈયો,અખો, નર્મદ, દલપત ,પ્રેમાનંદ, સંત જલારામ, ભક્ત બોડાણો મોહન દયાનંદ,
         સંસ્કૃતિનું વારસો આવે છે ...માડી તારા..
સત્ય અહિંસા તપ માનવતા  ગાંધીજી ના સિદ્ધાંત,
ઝુપડી મહેલના ભેદ ભુસાશે વંદુ તને ગુજરાત,
    સર્વોદય સાધકો આવે છે...માડી તારા ..

{ મુંબઈ રાજ્યનું વિભાજન થયું તે સમયે ગુજરાત રાજ્યનું નિર્માણ કરવા સ્વ. જીવરાજભાઇ મહેતા શ્રી બાબુભાઇ જ.પટેલ સ્વ. રસિકભાઈ પરીખ શ્રી રતુભાઇ અદાણી વગેરેનું વિદાય સમારંભ તારીખ:-૨૬/૪/૧૯૬૦ ના શુભદિને એને મુંબઈમાં રંગ ભવનમાં યોજાયો હતો તે પ્રસંગે ગાયેલું કાવ્ય }

           ફુલો વેરાણા ચોકમાં

      ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા

           સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
              મો:-9824474306

// ગઝલ // ફિકરની ભસ્મ ચોળીને

                   // ગઝલ //

ફિકરની ભસ્મ ચોળીને ,ફકીરી આ જ લીધી છે, અભય ના દ્વાર ખોલીને ,ફકીરી આજ લીધી છે....ફિકરની...

અસત્યની તજી કેડી, ચડુ છું સત્યની ટોચે, ઝીલીને નાદ "સોહમ" નો ,ફકીરી આજ લીધી છે.... ફિકરની...

મને માયા ડરાવે શું ? યે  ડરીને  દૂર  ઉભી છે ,
નિગમ પંથે જવા માટે, ફકીરી આજ લીધી છે.... ફિકર ની...

મને હાર્યો ભલે કહેતા, હું હાર્યો તોય જીત્યો છું,
કિનારે પહોંચવા માટે, ફકીરી આ જ લીધી છે.... ફિકરની...

કટોરા ઝેરના પીધા, પીધેલા સૌ   પચાવ્યા છે, હળાહળ થઈગયા અમૃત,ફકીરી આજ લીધી છે.... ફિકરની...

બની સૈનિક સંસારે, ઘણા  સંગ્રામ ખેલયા છે, અગમના  ખેલવા  યુદ્ધો ,ફકીરી આજ લીધી છે.... ફીકર ની...

અલખના રંગ ભગવામાં, જીવનને આજ રંગુ છું,
ધારી આહલેક ઝોળીને, ફકીરી આજ લીધી છે.... ફિકરની...

ક્ષમા કરજો મુસાફરને, ભૂલોને પણ ભૂલી જજો ,
હવે છેલ્લી સલામી છે ,ફકીરી આજ લીધી છે .....ફીકરની...

              બંસરી મીઠાશ ભરી

         (ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા)

        સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
             મો:- 9824474306

Monday, 7 October 2019

સહુ સંતો કહે છે માનવને જીવનનો લ્હાવો લેતો જા,

સહુ સંતો કહે છે માનવને જીવનનો લ્હાવો લેતો જા,
     તને દીધું છે, તુ દેતો જા.
    તુજ પાસે કોઈ દુ:ખીયાં આવે,
    જો  આંખથી  આસુ  વરસાવે;
સ્વાગત તેનુ કંઈ કરતો જા, તને દીધું છે, તુ દેતો જા.
     જેનુ નાવ ખરાબે ચડી ગયુ,
     બચવા માટે કોઈ રડી રહ્યુ,
ડુબતાનો હાથ પકડતો જા, તને દીધું છે, તુ દેતો જા.
     જ્યારે પ્રાણપંખેરુ ઊડી જશે,
     બે હાથ ત્રાપજકર! ખુલ્લાહશે
તો પુણ્યનુ ભાતુ ભરતો જા, તને દીધું છે, તુ દેતો જા.

    ''ફુલો વેરાણા ચોક માં''

{ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
        મો:-9824474306

મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનું વિભાજન

માડીના ઝાઝા છે ખમકાર મજિયારી મિલકત ભાગીદાર!
ખેતર ની વ્હેંચણીના કરનાર ખેતરને ખેડવા માંડો રે.
            ખેતર ખેડવા માંડો રે....

વેંત વધુ કે વેંત  ઓછું  એનો  કરશો  નહિ  વિચાર,
ખેતરમાં ખાતર ભર્યું એના દેવા છે
અપરંપાર,
હાથે હળ હાકવા માંડો રે ....
               ખેતરને  ખેડવા માંડો રે ...

ઝાઝુ થોડું કરશો નહીં એનો ટૂંકમાં દઉં છું જવાબ,
કયો બેટો વધુ ધાવણ ધાવ્યો,  હોય ન માને હિસાબ,
ધોરીડાને જોડવા માંડો રે ....
                ખેતર ને ખેડવા માંડો રે...

દેશ  વિદેશ  દેવુ  કરતી ,  પેટ  ભરૂ  છું  આજ,
માને ભીખતી નહીં મટાડો તો બેટડા જાશે લાજ,
દાતરડાની સજવા માંડવો રે...
                ખેતરની ખેડવા માંડવો રે...

અહિંસા ને વીરતામાં છે  પ્રેમ  અને  તલવાર, ગાંધીજી ને શિવાજીના, ગુણોના વારસદાર!
બાંધી કેડ રળવા માંડો રે...
               ખેતરની ખેડવા માંડો રે...

વ્યાજના રૂપે સંપતિ સીતા, રાવણ હરીને જાય, એકલ મારો રામ જવાહર તો જ લંકા જીતાય,
મળી પાજ બાંધવા માંડો રે...
                     ખેતરને ખેડવામાં રે...

એકબીજાના કરજો રખોપા, રાતદી કરજો કામ,
જુદા પડતા એમ મળો જેમ ભેટ્યા ભરત ને રામ,
મીઠાં બીજ વાવવા માંડો રે...
                    ખેતરની ખેડવામાં રે ...

{ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિભાજન સમયે મુંબઈ મલાડના આદર્શ દુગ્ધાલયમાં સત્કાર  સમારંભ યોજાયો હતો. મુંબઈના મુખ્યપ્રધાન સ્વ. ચૌહાણ હતા અને ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન સ્વ. જીવરાજભાઇ મહેતા ધારાસભ્યો અને ત્રણ હજાર આમંત્રિતોના ભોજન સમયે ગાએલુ આ કાવ્ય શ્રોતાઓએ ભારે હર્ષનાદો થી વધાવી લીધલુ. }

               ફુલો વેરાણા ચોકમાં 

       ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા

             સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
                 મો:- 9824474306

સમય નું રમકડું બની હું રમ્યો છું

                     " ગઝલ "

બુરાઈન ગાશો ન ગાશો ભલાઈ ,
નથી  દોષ મારો ન  મારી  વડાઈ ,
લઈ જન્મ જગમાં સદા કમકમ્યો છું ,
સમય નું રમકડું બની હું રમ્યો છું .૧

નચાવ્યા ઘણાને હું નાચી રહ્યો છું ,
દીધા  દાન હાથે  હું યાચી રહ્યો છું ,
કદી હું ઉગ્યો  છું  કદી આથમ્યો છું,
સમય નું રમકડું બની હું રમ્યો છું. ૨

રુદન ને છૂપાવી મેં સૌને હસાવ્યા ,
દુભાયો છું દિલ થી ન કોઈને દુભાવ્યા,
ન ભૂલું છતાંયે હું ભૂલી ભમ્યો છું ,
સમયનું રમકડું બની હું રમ્યો છું .૩

લૂંટાયો છું કાયમ ન કોઈને લુટીયા છે,
રડયો  છું  હું એવું કે  અશ્રુ  ખૂટ્યા છે ,
લઘુ  દીવડો  હૂં  બની  ઝગમગ્યો   છુ,
સમય નું રમકડું બનવું રમ્યો છું. ૪

મે હારી જવામાં સદા જીત માની,
લડ્યો ઢાલ રાખિ ધીરજ અને ક્ષમાની,
નમાવ્યા  ન  કોઈને  હું  સૌને  નમ્યો  છું ,
સમય નું રમકડું બની હું રમ્યો છું. ૫

છુપાવીને દુઃખો સુખી થઈ ફર્યો છું ,
ના કોઈ થી ડર્યો પણ અસત્યે ડર્યો છું,
અધુરો    છતાંયે   પ્રભુને   ગમ્યો   છું
સમય નું રમકડું બની હું રમ્યો છું .૬

                બંસરી મીઠાશભરી

           ( ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા )
      

                સંપાદક:- રાજુભાઈ ભટ્ટ
                  મો:-9824474306

મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનું વિભાજન

માડીના ઝાઝા છે ખમકાર મજિયારી મિલકત ભાગીદાર!
ખેતર ની વ્હેંચણીના કરનાર ખેતરને ખેડવા માંડો રે.
            ખેતર ખેડવા માંડો રે....

વેંત વધુ કે વેંત  ઓછું  એનો  કરશો  નહિ  વિચાર,
ખેતરમાં ખાતર ભર્યું એના દેવા છે
અપરંપાર,
હાથે હળ હાકવા માંડો રે ....
               ખેતરને  ખેડવા માંડો રે ...

ઝાઝુ થોડું કરશો નહીં એનો ટૂંકમાં દઉં છું જવાબ,
કયો બેટો વધુ ધાવણ ધાવ્યો,  હોય ન માને હિસાબ,
ધોરીડાને જોડવા માંડો રે ....
                ખેતર ને ખેડવા માંડો રે...

દેશ  વિદેશ  દેવુ  કરતી ,  પેટ  ભરૂ  છું  આજ,
માને ભીખતી નહીં મટાડો તો બેટડા જાશે લાજ,
દાતરડાની સજવા માંડવો રે...
                ખેતરની ખેડવા માંડવો રે...

અહિંસા ને વીરતામાં છે  પ્રેમ  અને  તલવાર, ગાંધીજી ને શિવાજીના, ગુણોના વારસદાર!
બાંધી કેડ રળવા માંડો રે...
               ખેતરની ખેડવા માંડો રે...

વ્યાજના રૂપે સંપતિ સીતા, રાવણ હરીને જાય, એકલ મારો રામ જવાહર તો જ લંકા જીતાય,
મળી પાજ બાંધવા માંડો રે...
                     ખેતરને ખેડવામાં રે...

એકબીજાના કરજો રખોપા, રાતદી કરજો કામ,
જુદા પડતા એમ મળો જેમ ભેટ્યા ભરત ને રામ,
મીઠાં બીજ વાવવા માંડો રે...
                    ખેતરની ખેડવામાં રે ...

{ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિભાજન સમયે મુંબઈ મલાડના આદર્શ દુગ્ધાલયમાં સત્કાર  સમારંભ યોજાયો હતો. મુંબઈના મુખ્યપ્રધાન સ્વ. ચૌહાણ હતા અને ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન સ્વ. જીવરાજભાઇ મહેતા ધારાસભ્યો અને ત્રણ હજાર આમંત્રિતોના ભોજન સમયે ગાએલુ આ કાવ્ય શ્રોતાઓએ ભારે હર્ષનાદો થી વધાવી લીધલુ. }

               ફુલો વેરાણા ચોકમાં 

       ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા

             સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
                 મો:- 9824474306

રાવણ નો પુજારી હું નથી  ( ગઝલ )

        રાવણ નો પુજારી હું નથી
                ( ગઝલ )
પ્રેમનો છું પુજારી પણ દુરાચારી હું નથી ,
વાસનામાં ડૂબેલા  જેવો વિકારી હું નથી .
દિલ છે તેવા જ મારા વાણી ને વર્તાવ છે ,
વેશ પલટો કરે , તેવો વેશધારી હું નથી.
માફ કરજો લાલચો માં મને ના લલચાવશે
ખુશામતથી પેટ ભરનારો ભીખારી હું નથી
મર્દ ની સામે મુસીબત આવતી તો હોય છે ,
લડી લઉં છું નાટકી હથિયાર ધારી  હું નથી .
ભલા માટે ખુશી થી કડવું તમે  કહેજો મને ,
સ્વીકારું ના સત્ય એવો અવિચારી હું નથી .
હું નમુ છું દેવ ને દાનવ ને હું નમતો નથી ,
રામ ને પુંજીશ  રાવણ નો પુજારી હું નથી।
                                                                   
    
           ''  ફૂલો વેરાણાં ચોક માં '' 

       { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

           સંકલન :- રાજુભાઇ ભટ્ટ
                મો:-9824474306





હરિનો કાગળ આવ્યો આજ !

હરિનો કાગળ આવ્યો આજ !
જાણે મારા હાથને ઝાલ્યો, એવી આવે લાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

હરિ લખે એ વાંચી જાવા આંખો ક્યાંથી લાવું ?
હું તો સાવ અભણ કોની પાસે જઈ વંચાવું ?
કાગળને પણ કંઠ હોત તો થોડો હોત અવાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

અક્ષર સાથે છેટું એ શું નથી જાણતા હરિ ?
કાગળ પણ લખિયો તો લખિયો પાનેપાનાં ભરી !
મને ભરી જો હોત હેતથી, કેવા કરતી સાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

કાગળનો છે અર્થ, હરિ પણ સ્મરણ કરે છે મારું,
હુંય હરિને ગમું અહો એ લાગે કેવું સારું !
હરિ તમે જાતે આવીને હેલ ઉતારો રાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

           ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા

              સંપાદક:- રાજુભાઈ ભટ્ટ
                    મો :-9824474306

સહુ સંતો કહે છે માનવને જીવનનો લ્હાવો લેતો જા,

સહુ સંતો કહે છે માનવને જીવનનો લ્હાવો લેતો જા,
     તને દીધું છે, તુ દેતો જા.
    તુજ પાસે કોઈ દુ:ખીયાં આવે,
    જો  આંખથી  આસુ  વરસાવે;
સ્વાગત તેનુ કંઈ કરતો જા, તને દીધું છે, તુ દેતો જા.
     જેનુ નાવ ખરાબે ચડી ગયુ,
     બચવા માટે કોઈ રડી રહ્યુ,
ડુબતાનો હાથ પકડતો જા, તને દીધું છે, તુ દેતો જા.
     જ્યારે પ્રાણપંખેરુ ઊડી જશે,
     બે હાથ ત્રાપજકર! ખુલ્લાહશે
તો પુણ્યનુ ભાતુ ભરતો જા, તને દીધું છે, તુ દેતો જા.

    ''ફુલો વેરાણા ચોક માં''

{ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
        મો:-9824474306

!! પરીચય પુષ્પ !! નામ :- કવિ શ્રી પરમાંનંદ મણિશંકર ભટ્ટ ઉપનામ :- ભક્ત કવિ શ્રી ત્રાપજકર જ્ઞાતિ :- સિહોર સંપ્રદાય ઔંદીચ્ય અગિયારસો બ્રાહ્મણ અટક :- મોગર ભટ્ટ વતન :- ભાવનગર જીલ્લા નું સાગરપટી પર આવેલું નાનકડું ગામ ત્રાપજ કવિ નો જન્મ :- ૨૪/૨/૧૯૦૨ અવસાન :- ૧૦/૧૦/૧૯૯૨ કવિ ના પુસ્તકો :- (૧) ૧૯૨૦ માં પ્રેમ ગીતા (૨) ૧૯૨૬ માં પરમાંનંદ કાવ્ય કુંજ (૩) ૧૯૫૯ માં આતમવાણી (૪) ૧૯૫૯ માં બંસરી મીઠાશ ભરી (૫) ૧૯૭૭ માં વાણી ના ફૂલ (૫૧૧ દુહા નો ગ્રંથ ) (૬) ૧૯૯૧ માં ફૂલો વેરાણા ચોક માં કવિ એ તેમના ગ્રંથોમાં ઝુલણા ,ભુજંગી ,ત્રિભંગી ,રેનુકી ,ગજલ , જેવા છંદો ની સાથે અનેક ગીતો, કાવ્યો, ભજનો, ની સાથે અનેક મુક્તકો ની ઉર્મીઓને વ્હેરાવી છે ક્યાય પણ આધુનિકતા ને પ્રવેશવા નથી દીધી તેમના કાવ્યો માં ઈશ્વર ભક્તિ માનવતા નું ગૌરવ અને સમર્પણ જેવા ઉમદા તત્વો ભરપુર રીતે મળે છે. કવિ એ માત્ર ૧૮ વર્ષ ની ઉમરે નાટ્ય લેખન ની શરૂઆત કરેલ ને ૨૪ મા વર્ષમાં પ્રવેશ તા જ મુબંઈ માં ગુજરાતી રંગભૂમિ માં રણગર્જના નાટક થી પ્રવેશ કર્યો ત્યાર બાદ અનારકલી, સોરઠ નો સિંહ, ભક્ત પ્રહલાદ, વિર અભિમન્યુ, બાજીરાવ પેક્ષ્વા, સમ્રાટ હર્ષ, જય ચિતોડ, વિર પસલિ, વહુરાણી, વઢકણી વહુ, જય જવાન, જેવા ૧૦૦ થી વધું ઉતક્રૂષ્ટ નાટકો ની હારમાળા રચી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા. જેમા રણગર્જના :- ૧૦૦૦ નાઇટ ભજવાયુ હતું આ નાટક જોવા માટે મહાદેવભાઈ દેસાઈ અને કસ્તુરબા આવ્યા હતા. સમ્રાટ હર્ષ :- ૧૨૦૦ વખત ભજવાયુ હતું. વિર પસલિ :- ૨૨૦૦ નાઈટ ભજવાયુ હતું આ નાટક જોવા આવતા પ્રેક્ષકો માટે સ્પેશયલ ટ્રેન વડોદરા થી મુંબઈ મુકવામાં આવી હતી જે ટ્રેન નુ નામ પણ "વિર પસલિ" રાખવામાં આવ્યું હતું. વહુરાણી :- ૧૭૦૦ વખત ભજવાયુ હતું. વઢકણી વહુ :- ૧૫૦૦ વખત ભજવાયુ હતું. ( વિશેષ નોંધ ) :- ગુજરાતી સાહિત્ય માં માત્ર એક શબ્દ ની સંગાય પર દુહા લખનાર કવિ શ્રીપરમાનંદ મણીશંકર ભટ્ટ '' ત્રાપજકર '' જેમણે તેમના પુસ્તક "વાણીનાં ફલ" માં ' વિઠ્ઠલા' શબ્દ પર { ૫૧૧ } દુહા લખ્યાં છે. ત્રાપજકરદાદા ના ચરણકમળમાં કોટિ કોટિ વંદન સહ :- રાજુભાઈ બી. ભટ્ટ ,મો :- ૯૮૨૪૪૭૪૩૦૬

           !! પરીચય પુષ્પ !!
નામ :- કવિ શ્રી પરમાંનંદ મણિશંકર ભટ્ટ
ઉપનામ :- ભક્ત કવિ શ્રી ત્રાપજકર
જ્ઞાતિ :- સિહોર સંપ્રદાય ઔંદીચ્ય અગિયારસો બ્રાહ્મણ
અટક :- મોગર ભટ્ટ
વતન :- ભાવનગર જીલ્લા નું સાગરપટી પર આવેલું નાનકડું ગામ ત્રાપજ
કવિ નો જન્મ :- ૨૪/૨/૧૯૦૨
અવસાન :- ૧૦/૧૦/૧૯૯૨
કવિ ના પુસ્તકો :-
(૧) ૧૯૨૦ માં પ્રેમ ગીતા
(૨) ૧૯૨૬ માં પરમાંનંદ કાવ્ય કુંજ
(૩) ૧૯૫૯ માં આતમવાણી
(૪) ૧૯૫૯ માં બંસરી મીઠાશ ભરી
(૫) ૧૯૭૭ માં વાણી ના ફૂલ (૫૧૧ દુહા નો ગ્રંથ )
(૬) ૧૯૯૧ માં ફૂલો વેરાણા ચોક માં

કવિ એ તેમના ગ્રંથોમાં ઝુલણા ,ભુજંગી ,ત્રિભંગી
,રેનુકી ,ગજલ , જેવા છંદો ની સાથે અનેક ગીતો, કાવ્યો, ભજનો,  ની સાથે અનેક મુક્તકો ની ઉર્મીઓને વ્હેરાવી છે ક્યાય પણ આધુનિકતા ને પ્રવેશવા નથી દીધી તેમના કાવ્યો માં ઈશ્વર ભક્તિ માનવતા નું ગૌરવ અને સમર્પણ જેવા ઉમદા તત્વો ભરપુર રીતે મળે છે.
કવિ એ માત્ર ૧૮ વર્ષ ની ઉમરે નાટ્ય લેખન ની શરૂઆત કરેલ ને ૨૪ મા વર્ષમાં પ્રવેશ તા જ મુબંઈ માં ગુજરાતી રંગભૂમિ માં રણગર્જના નાટક થી પ્રવેશ કર્યો ત્યાર બાદ અનારકલી, સોરઠ નો સિંહ,
ભક્ત પ્રહલાદ, વિર અભિમન્યુ, બાજીરાવ પેક્ષ્વા, સમ્રાટ હર્ષ, જય ચિતોડ, વિર પસલિ, વહુરાણી, વઢકણી વહુ, જય જવાન, જેવા ૧૦૦ થી વધું ઉતક્રૂષ્ટ નાટકો ની હારમાળા રચી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા.
જેમા રણગર્જના :- ૧૦૦૦ નાઇટ ભજવાયુ હતું આ નાટક જોવા માટે મહાદેવભાઈ દેસાઈ અને કસ્તુરબા આવ્યા હતા.
સમ્રાટ હર્ષ :- ૧૨૦૦ વખત ભજવાયુ હતું.
વિર પસલિ :- ૨૨૦૦ નાઈટ ભજવાયુ હતું આ નાટક જોવા આવતા પ્રેક્ષકો માટે સ્પેશયલ ટ્રેન વડોદરા થી મુંબઈ મુકવામાં આવી હતી જે ટ્રેન નુ નામ પણ "વિર પસલિ" રાખવામાં આવ્યું હતું.
વહુરાણી :- ૧૭૦૦ વખત ભજવાયુ હતું.
વઢકણી વહુ :- ૧૫૦૦ વખત ભજવાયુ હતું.
( વિશેષ નોંધ ) :- ગુજરાતી સાહિત્ય માં માત્ર એક  શબ્દ  ની સંગાય પર  દુહા  લખનાર 
કવિ શ્રીપરમાનંદ મણીશંકર ભટ્ટ  
            ''  ત્રાપજકર ''
જેમણે તેમના પુસ્તક
"વાણીનાં ફલ"
માં ' વિઠ્ઠલા'  શબ્દ  પર  { ૫૧૧ }  દુહા લખ્યાં છે.
  
ત્રાપજકરદાદા ના ચરણકમળમાં કોટિ કોટિ વંદન સહ :- રાજુભાઈ બી. ભટ્ટ ,મો :- ૯૮૨૪૪૭૪૩૦૬

મળો  પ્રભુ, ભરત જેવા ભાઈ

     મળો  પ્રભુ, ભરત જેવા ભાઈ
ભરત જેવા ભાઈ,જેને મન સ્વારથની ન સગાઈ.
મળો  પ્રભુ, ભરત જેવા ભાઈ

મોસાળમાંથી આવીઆ એને અવઘ દુ:ખમાં દેખાઇ;
કૌશલ્યા રોંયા ને કૈકેઇ હસી ત્યારે કપટબાજી કળાઇ.
મળો  પ્રભુ, ભરત જેવા ભાઈ

બાપુક્યાં છે? મારો બાંધવક્યાં છે? ક્યાં છે જાનકી રઘુરાય?
વન ગયાની વાત સુણી ત્યારે, આખમાં આંસુડાં ન માય.
મળો  પ્રભુ, ભરત જેવા ભાઈ

કારણ હું, ને કરણી કૈકેઇની, મારી કરમ કઠણાઈ;
રાજ નેપાટ મારે જોતાં નથી, મારા રુદામાં રામની દુહાઈ.
મળો  પ્રભુ, ભરત જેવા ભાઈ

રામે પાળયું પિતાવચન ને લક્ષ્મણે પાળી સેવકાઇ;
ભરતે રાજ્યને ત્યાગીને માંડી, આ તો સજ્જનતાની સરસાઈ.
મળો  પ્રભુ, ભરત જેવા ભાઈ

રામને ભરતજી ભેટીયા, જેમ શિવમાં જીવ સમાય;
આંસુડે રામના પગ પખાળ્યા, ત્યારે રોતી હતી વનરાઈ.
મળો  પ્રભુ, ભરત જેવા ભાઈ

           '' બંસરી મિઠાસ ભરી''

      { ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }

        સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
            મો :- 9824474306


મને વ્હાલ ભરેલો વીર મળ્યો !

મને વ્હાલ ભરેલો વીર મળ્યો !
મળી ભાવ  ભરેલી  ભાભલડી !

પણ દીકરીના દુઃખ પારખતી. મરશો નહિ કોઈ ની માવલડી !

મારે  ઉંબર, ડુંગર  છે  વટવા, આજ કોણ લૂછે મારી આંખલડી ?

ડગલે  પગલે  મને  સાંભરતી , મરશો નહિ કોઈ ની માવલડી !

પાયા દેહ નીચોવી ને દુધડીયા , અળગા ન કર્યા જેણે એક  ઘડી ,

ભલે તાત ને વીર સો વર્ષ જીવે , મરશો નહિ કોઈ ની માવલડી ! 

             " ફુલો વેરાણા ચોકમાં "

    ~ ભક્ત કવિશ્રી ત્રાપજકર દાદા ~

      સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
            મો :-9824474306

સ્નેહ વિના સન્માન નકામા

સ્નેહ વિના સન્માન નકામા
ધ્યેય વીના ધ્યાન નકામા,કંઠવિના ગાન નકામા , પ્રેમ વિના પાન નકામા જેમ દયા વિન દાન નકામા............
           સ્નેહ વિના સન્માન નકામા

વાસ વીના ફૂલ નકામા , પારખ વિના મૂલ નકામા , બોલ વિના બુલબુલ નકામા , સુમ  તubadvણા  ગુણગાન  નકામા, ................
             સ્નેહ વિના સન્માન નકામા

આમ્ર ફળો રસ વિના નકામા , મિત્ર છતા ગુણ હિન નકામા , નર વનિતા આધિન નકામા , સ્વાદ વિના પકવાન નકામા .............
          સ્નેહ વિના સન્માન નકામા

ગુણ  વિના  રુપ  નકામા,  નીર  વિનાના  કુપ  નકામા   ,  શૌર્ય વિના ભૂપ નકામા  ભાગ્ય  વિના મતિમાની નકામા..............
          સ્નેહ વિના સન્માન નકામા

પ્રાણ વિના  ના  દેહ  નકામા  , દેહ વિના ના ગેહ નકામા , ટેક વિના ના સ્નેહ નકામા , સ્નેહ વિના સન્માન નકામા...............
             સ્નેહ વિના સન્માન નકામા

          '' આતમવાણી ''

   { ભક્ત કવી શ્રી ત્રાપજકરદાદા}

     સંપાદન :- રાજુભાઈ બી ભટ્ટ
           મો :- 9824474306

સ્વાતંત્ર્યં પર્વણી

                  (૧)
પંદર મી ઓગસ્ટ પર્વણી, ઉમંગ થી અહીં ઉજવાતી,
સ્વતંત્ર ભારતની એ મંગલ સ્મૂતિ બની ને મલકાતી;
કોઈ વર્ષમાં હરખાતી ને કોઈ વર્ષમાં કચવાતી,
નગરે નગરે ગ્રામે ગ્રામે, ગૌરવ નાં તું ગીત ગાતી.
                  (૨)
રાષ્ટ્ર તણા ઘડતર ની દેવી ખરેખરી તું બડભાગી,
કારણ નિદ્રા ઘોર તજી ને સમસ્ત જનતા છે જાગી,
પ્રવૂતિ ને પુરુષાર્થ તણી તુ, મશાલ લઈને આવી છે,
દલિતો તેમજ પીડિતો કેરુ હવે ઊજળુ ભાવિ છે.
                  (૩)
તુજ આગમન માટે કૈંક શહીદની અણદીઠ ખાંભી ખોડાણી,
કોડ ભરી કોઈ અબળાનાં આંસુની ગંગા ઊભરાણી;
જનનીના લાડકવાયા ની કોઈ બેનના બાંધવની-
લાશો દાટી ત્યાં હળુક દઈ ને મૂકજે તુજ પગની પાની.
                  (૪)
આ ફાની દુનીયા છોડી ને ઇતિહાસ વિજયનો લખીગયા,
એ મરજીવા તો અમર થયા ને પ્રબળ પ્રેરણ દઈ ગયા,
ફરકાવ્યો ત્રિરંગી ઝંડો સ્વતંત્રતા સાચુ ઘન છે,
તુજ કાજે જે થયા શહીદો, લાખ અમારાં વંદન છે.

    ''ફુલો વેરાણા ચોક માં''

{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરજી }

સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
     મો :- ૯૮૨૪૪૭૪૩૦૬





આંખ થી નથી જોવાતો

{ રાગ :- ઊડી જાઓ પંખી પાખો વાળા }

આંખ થી નથી જોવાતો, જમાનો આવો,
જીવથી નથી જરવાતો, જમવાનો આવો,
આંખ થી નથી જોવાતો રે ....જી

વડલો તપતો છાંયડો આપે, સેવા કરતા સુકાતો, મહેમાન આવે ત્યાં ફેરવે મોઢું, પાણી એ નથી પાતો.
                       જમાનો આવો....

મેઘરાજાનું મનડું મોટુ, ગુણ પોતાના નથી ગાતો,
દાન દીધું એની દુનિયા પાસે વારેવારે કરે વાતો,
                       જમાનો આવો....

સુરજ સળગે પર ને કાજે, આતમ નથી અકળાતો,
ઝુપડી પરની જગતી જુએ, ઓલવવાયે નથી જતો.
                      જમાનો આવો....

બ્રહ્માંડ જેવડું ઘર ઘડ્યું ઈ કડિયા થી કોતરાતો,
કોક નવડાવે ત્યારે ન્હાતો ને ખાતો, સુવડાવે આવે ત્યારે સુઈ જાતો.
                       જમાનો આવો....

દુનિયા દામને દેવ માને છે, નથી સગપણ નથી નાતો,
માનવી દાનવરૂપ ધરીને માનવ ભરખી જતો.
                       જમાનો આવો....

              "   આતમવાણી "

       -  ભક્ત કવિ ત્રાપજકર દાદા -
    
            સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
                મો :- 9824474306

આતમવાણી~શ્યામળા ની સરકાર

રાગ :- કર મન ભજનનો વેપાર

શામળા એ રચી છે સરકાર,
રચી છે સરકાર એ જી એનો પામે ન કોઈપાર...શામળા એ....

સુરજ એનો સેનાપતિને ચાંદો છે સરદાર, મેઘરાજાને મંત્રી બનાવ્યા, પવન પહેરેદાર...શામળા એ....

એના રાજ્યમાં લાંચ કે રૂશવત કોઈ નથી લેનાર,
ચૂક પડે નહિ એવો ચાલે કાયમનો  કારભાર...શામળા એ....

કાયદામાં નથી કદી કરતો ફોગટ ના ફેરફાર,
વાવ્યુ લણવું એવો સૌને આપી દીધો અધિકાર ...શામળા એ....

નવમહિના જેણે જાળવ્યા એનો લાગો ન લેતોલગાર,
દેહ ઘડીયો એના દાણ ન માગે ધાવણ નો દેનાર...શામળા એ....

પાણીનો કદી પૈસા ન માગે તેજનોય તલભાર, હવાની હક્ક શાઇ નથી, એના ભરીયા છે ભંડાર...શામળા એ....

અરજી કરે કોઈ આંસુડાથી ઉરનો છે ઉદાર,
ભૂલ કરી એનો ભાર ઉપાડી તારી દે ભવપાર...શામળા એ....

ઘડવૈયો પોતે ને ઘાટ જ પોતે, પોતે ભાંગણહાર,
ઝોકે ન જાતો રખોપામા, ઝાઝા કરીએ જુહાર...શામળા એ....

                 "  આતમવાણી "

         -  ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા  -

                 સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
                     મો :-9824474306

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...