રાવણ નો પુજારી હું નથી
( ગઝલ )
પ્રેમનો છું પુજારી પણ દુરાચારી હું નથી ,
વાસનામાં ડૂબેલા જેવો વિકારી હું નથી .
દિલ છે તેવા જ મારા વાણી ને વર્તાવ છે ,
વેશ પલટો કરે , તેવો વેશધારી હું નથી.
માફ કરજો લાલચો માં મને ના લલચાવશે
ખુશામતથી પેટ ભરનારો ભીખારી હું નથી
મર્દ ની સામે મુસીબત આવતી તો હોય છે ,
લડી લઉં છું નાટકી હથિયાર ધારી હું નથી .
ભલા માટે ખુશી થી કડવું તમે કહેજો મને ,
સ્વીકારું ના સત્ય એવો અવિચારી હું નથી .
હું નમુ છું દેવ ને દાનવ ને હું નમતો નથી ,
રામ ને પુંજીશ રાવણ નો પુજારી હું નથી।
'' ફૂલો વેરાણાં ચોક માં ''
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }
સંકલન :- રાજુભાઇ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment