!! પરીચય પુષ્પ !!
નામ :- કવિ શ્રી પરમાંનંદ મણિશંકર ભટ્ટ
ઉપનામ :- ભક્ત કવિ શ્રી ત્રાપજકર
જ્ઞાતિ :- સિહોર સંપ્રદાય ઔંદીચ્ય અગિયારસો બ્રાહ્મણ
અટક :- મોગર ભટ્ટ
વતન :- ભાવનગર જીલ્લા નું સાગરપટી પર આવેલું નાનકડું ગામ ત્રાપજ
કવિ નો જન્મ :- ૨૪/૨/૧૯૦૨
અવસાન :- ૧૦/૧૦/૧૯૯૨
કવિ ના પુસ્તકો :-
(૧) ૧૯૨૦ માં પ્રેમ ગીતા
(૨) ૧૯૨૬ માં પરમાંનંદ કાવ્ય કુંજ
(૩) ૧૯૫૯ માં આતમવાણી
(૪) ૧૯૫૯ માં બંસરી મીઠાશ ભરી
(૫) ૧૯૭૭ માં વાણી ના ફૂલ (૫૧૧ દુહા નો ગ્રંથ )
(૬) ૧૯૯૧ માં ફૂલો વેરાણા ચોક માં
કવિ એ તેમના ગ્રંથોમાં ઝુલણા ,ભુજંગી ,ત્રિભંગી
,રેનુકી ,ગજલ , જેવા છંદો ની સાથે અનેક ગીતો, કાવ્યો, ભજનો, ની સાથે અનેક મુક્તકો ની ઉર્મીઓને વ્હેરાવી છે ક્યાય પણ આધુનિકતા ને પ્રવેશવા નથી દીધી તેમના કાવ્યો માં ઈશ્વર ભક્તિ માનવતા નું ગૌરવ અને સમર્પણ જેવા ઉમદા તત્વો ભરપુર રીતે મળે છે.
કવિ એ માત્ર ૧૮ વર્ષ ની ઉમરે નાટ્ય લેખન ની શરૂઆત કરેલ ને ૨૪ મા વર્ષમાં પ્રવેશ તા જ મુબંઈ માં ગુજરાતી રંગભૂમિ માં રણગર્જના નાટક થી પ્રવેશ કર્યો ત્યાર બાદ અનારકલી, સોરઠ નો સિંહ,
ભક્ત પ્રહલાદ, વિર અભિમન્યુ, બાજીરાવ પેક્ષ્વા, સમ્રાટ હર્ષ, જય ચિતોડ, વિર પસલિ, વહુરાણી, વઢકણી વહુ, જય જવાન, જેવા ૧૦૦ થી વધું ઉતક્રૂષ્ટ નાટકો ની હારમાળા રચી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા.
જેમા રણગર્જના :- ૧૦૦૦ નાઇટ ભજવાયુ હતું આ નાટક જોવા માટે મહાદેવભાઈ દેસાઈ અને કસ્તુરબા આવ્યા હતા.
સમ્રાટ હર્ષ :- ૧૨૦૦ વખત ભજવાયુ હતું.
વિર પસલિ :- ૨૨૦૦ નાઈટ ભજવાયુ હતું આ નાટક જોવા આવતા પ્રેક્ષકો માટે સ્પેશયલ ટ્રેન વડોદરા થી મુંબઈ મુકવામાં આવી હતી જે ટ્રેન નુ નામ પણ "વિર પસલિ" રાખવામાં આવ્યું હતું.
વહુરાણી :- ૧૭૦૦ વખત ભજવાયુ હતું.
વઢકણી વહુ :- ૧૫૦૦ વખત ભજવાયુ હતું.
( વિશેષ નોંધ ) :- ગુજરાતી સાહિત્ય માં માત્ર એક શબ્દ ની સંગાય પર દુહા લખનાર
કવિ શ્રીપરમાનંદ મણીશંકર ભટ્ટ
'' ત્રાપજકર ''
જેમણે તેમના પુસ્તક
"વાણીનાં ફલ"
માં ' વિઠ્ઠલા' શબ્દ પર { ૫૧૧ } દુહા લખ્યાં છે.
ત્રાપજકરદાદા ના ચરણકમળમાં કોટિ કોટિ વંદન સહ :- રાજુભાઈ બી. ભટ્ટ ,મો :- ૯૮૨૪૪૭૪૩૦૬
No comments:
Post a Comment