!! રામની મૂર્તિ બોલી !!
મારે મંદિરે શીદ આવો, ફોગટ ના ફેરા કર્યે નહી ફાવો....રામ કહે મારે મંદિરે સીધ આવો...
ઘરમાં ઘરડા માતા-પિતાના, દિલડા રોજ દુખાવો,
પિતા વચનથી વન મે વેઠયા, અસર તો ઊપજાવો.... રામ કહે...
ભાયુ ભાયુમાં ભાગ પાડો ત્યાં, વારો તારો વરતાવો,
ભરત માટે રાજ્ય મે તજ્યુ, વાત રૂદાને વંચાવો.... રામ કહે ...
એક પત્નીવ્રત મેં પાળ્યૂ, એનો મનને સાર સમજાવો,
ઘરની નારીને રોજ રીબાવો ,ને મને ક્યાં ફુલડા ચડાવો.... રામ કહે...
મીઠાબોરથી ના અભડાયો, ભાળ્યા મે ભીલડી માં ભાવો,
હરિજનો મારે મંદિરે આવે એને, હલકા કહી હલકાવો.... રામ કહે ...
એક વચન ને એક બાણના, મૂલ્ય મન અંકાઓ, પર નારીની સામે જોતા ,વાલી વધુ યાદ લાવો.... રામ હે કહે ...
સોનાની લંકા ની સામે ન જોયું, મને લાલચમાં ન લલચાવો, ભવસાગર થી તરવા માટે ફદિયું એક ફગાવો.... રામ કહે...
રામના મંદિરે જતા પહેલા, રામનું હૃદય રીઝાવો, રામે જીવીને જીવતા શીખવ્યું, કાળજામાં કોતરાવો.... રામ કહે ...
બંસરી મીઠાશ ભરી
(ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા)
સંપાદક:- રાજુભાઈ ભટ્ટ
મો:- 9824474306
No comments:
Post a Comment