નથી માનવ થવું મારે ધારા ની ધૂળ થવું છે ,
અને એ ધૂળ માંથી પણ અમારે ફૂલ થવું છે ,
પૂછી સુગંધ કેડી ને મધુકર આવશે દોડી ,
નથી તરછોડવો ગુંજન મહી મશગુલ થવું છે ,
ટહાકવું આમ્રશાખાપર કદી ગાવુંછે ગુલશનમાં ,
કદી કોકિલ થવું છે ,ને કદી બુલબુલ થવું છે ,
નથી થવું અમારેબોલ કોઈ કપટી કે દુર્જન ના ,
અમારે સુફી સંતો ના વચન અણમૂલ થવું છે ,
સલામી આપીને છેલ્લી આદુનિયાથી જનારાની ,
કબરમાં સાથ આપીને અમારે ડુલ થવું છે ,
'' ફૂલો વેરાણાં ચોક માં ''
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }
સંકલન :- રાજુભાઇ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment