Friday, 10 January 2020

સહુ સંતો કહે છે માનવને ''ફુલો વેરાણા ચોક માં''

સહુ સંતો કહે છે માનવને જીવનનો લ્હાવો લેતો જા,

     તને દીધું છે, તુ દેતો જા.

    તુજ પાસે કોઈ દુ:ખીયાં આવે,

    જો  આંખથી  આસુ  વરસાવે;

સ્વાગત તેનુ કંઈ કરતો જા, તને દીધું છે, તુ દેતો જા.

     જેનુ નાવ ખરાબે ચડી ગયુ,

     બચવા માટે કોઈ રડી રહ્યુ,

ડુબતાનો હાથ પકડતો જા, તને દીધું છે, તુ દેતો જા.

     જ્યારે પ્રાણપંખેરુ ઊડી જશે,

     બે હાથ ત્રાપજકર! ખુલ્લાહશે

તો પુણ્યનુ ભાતુ ભરતો જા, તને દીધું છે, તુ દેતો જા.


    ''ફુલો વેરાણા ચોક માં''


{ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા }


સંપાદક :- રાજુભાઈ ભટ્ટ

        મો:-9824474306

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...