[ ગઝલ ]
માનવીનો જુઓ તો બસ આટલો ઇતિહાસ છે, જન્મ છે ને જીવન છે વિકાસ છે ને નાશ છે. સામાન્ય આવી વાતને સૌ માનવી સમજે છતાં, જામ પિતા ફરે છે તો યે અધુરી પ્યાસ છે. કલ્પનાના મહેલ ચણતો માનવી રેતી ઉપર ,
એ મહેલમાં માણીશ એવો મૂર્ખને વિશ્વાસ છે. જિંદગીની સડક લાંબી મરણની મંઝિલ સુધી, આખરે તો માનવ ને આટલો જ પ્રવાસ છે.
હાથ ખુલ્લા કરી ને અહીંથી જવું છે એકલા, નામ તેના રહી જશે જેની અમર સુવાસ છે.
{ ફુલો વેરાણા ચોકમાં }
ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment