[ ગઝલ ]
રામથી હું ડરું છું દુનિયા થકી ડરતો નથી ,
ફૂલ પર ભમરા ફરે છે એ રીતે ફરતો નથી .
દાભીકતાના પૂજકો બદનામ શું કરશે મને? સત્યનો છું પુજારી અસત્ય આચરતો નથી .
કર્મ જે જે કરું તેમાં ઈશ્વરી સંકેત છે ,
આગળ વધીને હું કદી પાછળ કદમ ભરતો નથી.
બગલા નું સ્વાગત બંધ છે તો હંસ થઈને આવજો ,
માનસર નુ સ્વચ્છ જળ ડોળું કદી કરતો નથી.
કેમ જીવી જાણવું તે શીખવા ને આવજો, ખુમારીથી જીવું છું હું મોહમાં મરતો નથી .
{ ફુલો વેરાણા ચોકમાં }
ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
રામથી હું ડરું છું દુનિયા થકી ડરતો નથી ,
ફૂલ પર ભમરા ફરે છે એ રીતે ફરતો નથી .
દાભીકતાના પૂજકો બદનામ શું કરશે મને? સત્યનો છું પુજારી અસત્ય આચરતો નથી .
કર્મ જે જે કરું તેમાં ઈશ્વરી સંકેત છે ,
આગળ વધીને હું કદી પાછળ કદમ ભરતો નથી.
બગલા નું સ્વાગત બંધ છે તો હંસ થઈને આવજો ,
માનસર નુ સ્વચ્છ જળ ડોળું કદી કરતો નથી.
કેમ જીવી જાણવું તે શીખવા ને આવજો, ખુમારીથી જીવું છું હું મોહમાં મરતો નથી .
{ ફુલો વેરાણા ચોકમાં }
ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment