[ ગઝલ ]
મારા ઉપર કોઈએ કર્યો ઉપકાર સહેવાતો નથી,
બદલો ન વાળું ત્યાં સુધી એ ભાર સહેવાતો નથી.
માનવીને કોઈ સાચા માનવી મળતા નથી,
મળે છે તેનો વિષમ વ્યવહાર સહેવાતો નથી.
સ્પર્શ કરતી જાય છે પણ ઘડી રોકાતી નથી,
કિનારાથી સરિતાનો પ્યાર છે સહેવાતો નથી.
યાદ પણ ઓજલ થઇ ને સ્નેહને સગપણ ગયું,
પછી મીઠા શબ્દનો સત્કાર સહેવાતો નથી.
શું કહું? કહેવું ઘણું પણ કહેવાથી લાભ શો?
દર્દ તો કહેવાય મૂંગો માર સહેવાતું નથી.
માનવીના મન જુદા વચનો જુદા વર્તન જુદા,
સાર વિનાનો હવે સંસાર સહેવાતો નથી.
{ ફુલો વેરાણા ચોકમાં }
ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment