ધરતી બોલે ને મેહુલો સાંભળે,
સુણો મારી નણદીના વિરા રે!
કાયામાં કરોડો કટકા કાચ ના, હૈયે મારે કોક કોક હીરા રે..... ધરતી બોલે ને મેહુલો સાંભળે,
મારે રે ઓવારે માનવ હંસલા, વીણતા સદગુણ મોતી રે;
એવા એ જાયા ની જનથી ઉજળી, જગવે માનવતા ની જ્યોતિ રે..... ધરતી બોલે ને મેહુલો સાંભળે,
સાગરનાં પાણી સ્વામી શોષતા, પારકું લઈ દેતા દોટુ રે;
ખોટુ ન લગાડો ખરી વાતમાં, મોટા થઈ મન રાખો મોટુ રે.... ધરતી બોલે ને મેહુલો સાંભળે,
સ્વામીજી કુપણ મુખ શ્યામળાં, ચાતક ટળવળતાં જાય રે ;
રુપલા વરણ રે માનવ હંસલા, ગરજ્યા વિના વરસી જાય રે ....... ધરતી બોલે ને મેહુલો સાંભળે..
''આતમવાણી''
{ ભક્ત કવિ શ્રી ત્રાપજકરદાદા }
સંકલન :- રાજુભાઇ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment