Saturday, 11 January 2020

* દિલની દોલત * ફુલો વેરાણા ચોકમાં

                  = ગઝલ =

દિલની દોલત મે લુટાવી આ જગતના ચોકમાં, કદર  કોઈએ ના કરી, મુર્ખો ગણાયો  લોકમાં.
પછી મેં  સંસાર  જોયો  સત્યના દર્પણ  મહી,
સ્વાર્થ જોયો ઘણામાં, માનવતા જોઈ કોકમાં. સંસારનો મેં  સાર  શોધી લીધો છે તેથી જ હું જીવન  જીવ્યો એકસરખું  હર્ષમાં  કે  શોકમાં.
પુષ્પધન્વા  સ્પર્શતા  હું .ત્રિલોચન શંકર  બનુ, 
ગંગ ધરૂં    જટામાં  ને   સર્પ   વિટુ   ડોકમાં.
ના કોઈની  નિંદા કરી કે બુરુ કોઈનું  ના કર્યું, આટલો સંતોષ લઈને જઈશ  હું પરલોકમાં.



            { ફુલો વેરાણા ચોકમાં }
    


        ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા 



             સંપાદક:- રાજુભાઈ ભટ્ટ 
                 મો:-9824474306

No comments:

Post a Comment

ઉપાલંભ "ફુલો વેરાણા ચોકમાં"

                【 ગઝલ 】 સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ; હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે . આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી; એ ...