પ્રભુ ! ઘડી તે જિંદગી જોડયા જીવન ના તાર; ગરીબ ઘરનો, હે પ્રભુ! કેમ લુટયો સંસાર?! ભગવાન ભલા શું કહેવું તને!!
મુજ વેલડીને કરમાવી દીધી;
મને જોઈ ઘડી ઘડી ઘેલી થતી;
એ આંખડી હાય મીંચાવી દીધી !!
જેને કાળજે કોડ કરોડ હતા,
એને શૂન્યમાં કેમ સમાવી દીધી!!
મારી જોડલી કેમ તે જુદી કરી ?
મારી આશ બધી સળગાવી દીધી!!
જેના માતા- પિતા અને બંન્ધુ ગયો,
તેના દુઃખ તણો કોઈ પાર નથી ;
પણ પ્રેમઘેલી જેની પત્ની ગઈ ,
એના જીવનમાં કાંઈ સાર નથી .
{ ફુલો વેરાણા ચોકમાં }
ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક:- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment