શ્રીકૃષ્ણ પૂછે છે હે માનવ ! સર્વસ્વ તને મેં આપ્યું છે
સુર્યા આપતો જીવન તત્વો,
ચંદ્ર આપતો શીતળતા.
મેઘજળે સરિતાઓ છલકે,
નીર આપતું નિર્મળતા.
ધરતી આપે મધુર ધાન્ય ને,
વાયુ શ્વાસ ધમણ ધમતા.
પિંડ પોષતાં પાંચે તત્વો,
ચેતન દઈ રાખ્યા રમતા.
તું હિત કાજે ગીતા કહી ,એ વચનો બધા ઉથાપે છે.
એ જ મને તું આપે છે.
{ ફુલો વેરાણા ચોકમાં }
ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક:- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment