ગઝલ
જીવનનો અભિગમ હું ખોળી રહ્યો છું,
ઉષામાં હું આશા ઝબોળી રહ્યો છું.
મજા રાગમાં છે અગર ત્યાગમાં છે,
એ પ્રશ્નના ઉત્તર. ઉકેલી રહ્યો છું.
ગગનમાં ઉડુ કે ક્ષિતિજો ઓળંગુ?
નકામા વિચારો વાગોળી રહ્યો છું.
હું સ્વપ્નોની વહેતી સરીતામાં ડૂબી,
કીચડમાં જ કાયાને રોળી રહ્યો છું.
આ અમૃતના સાગર કિનારે ઉભો છું,
ભૂલી ભાન હું વીષ ઘોળી રહ્યો છું.
કીકીને ઘણાયે કણાઓ ખૂંચે છે,
નીકળતા નથી આંખ ચોળી રહ્યો છું.
જીવન જીવવાનો ખરો માર્ગ આ છે,
હૃદય રામરસમાં હું બોળી રહ્યો છું.
{ ફુલો વેરાણા ચોકમાં }
ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક:- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment