【 ગઝલ 】
સમય ને સંયોગ ને આધીન પણ થાવું પડે ;
હોય અનહદ પ્રેમ તોય અલગ પણ થાવું પડે .
આનંદ કે ઉલ્લાસ કાયમ કોઇના ટકતા નથી;
એ દિવસને યાદ કરતાં ખિન્ન પણ થાવું પડે .
મૂર્ખને મહેફિલમાં નહોતું જવું ને જઈ ચડ્યા,
બુદ્ધિમાનો ને ય બુદ્ધિહીન પણ થાવું પડે .
જુદા પડ્યા છે જળથકી, જીવન બચે એ આશમાં,
જોઈને મૃગજળ, હરખતા મીન પણ થાવું પડે.
હોય એવી કલ્પના કે ના કદી જુદા થશું,
સ્વજનોના વિયોગ સમયે કઠિન પણ થવું પડે.
સમયના નિર્માણને શ્રીકૃષ્ણના ઠેલી શક્યા,
ભીલ કેરા બાણ ને સ્વાધીન પણ થવું પડે.
{ ફુલો વેરાણા ચોકમાં }
✍️ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306