:: ગઝલ ::
શું કરું? મન થી હવે મૂંઝાઉં છું;
તું રડે છે ત્યાં અહીં અકળાઉં છું.
ક્ષિતિજોની દીવાલો આડી ઉભી;
કલ્પનાની પાંખમાં ગૂંગળાવું છું .
ઊર્મિ ને આકાંક્ષાના શિખરો
ચડું છું; બીજી પળે પછડાઉં છું.
ના મળે બિન્દુ મુખે, મૃગ દોડતો,
એ દિશામાં હું ય દોડી જાઉં છું.
ના સુધાની પ્યાલી હોઠે આવતી;
જીવન છે પ્રશ્નાર્થ હું અટવાઉં છું.
તાર વિણાના બધા યે મૌન છે,
હું કરુણ સંગીત અરણ્યે ગાઉં છું.
[ ફૂલો વેરાણા ચોકમાં ]
ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા
સંપાદક રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment